શોધખોળ કરો
સુરતઃ 10 દિવસ બાદ બારડોલીના નીવનો મૃતદેહ દરિયા નજીકથી મળ્યો
1/4

પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળે તેવી શક્યતા છે. કોર્ટની મંજૂરી મળતાં જ નિશિતનો ગાંધીનગરમાં ખાતે નાર્કો ટેસ્ટ કરાવાશે. નિશિત વારંવાર નિવેદનો બદલી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે તેથી સત્ય બહાર લાવવા નાર્કો ટેસ્ટ જરૂરી હોવાનું પોલીસ માને છે.
2/4

સુરતઃ બારડોલીના વણેસાના નીવનો મૃતદેહ મીંઢોળા નદીમાંથી મળી આવ્યો હતો. છેલ્લા દસ દિવસથી પોલીસ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ સાથે મીંઢોળા નદીમાં નીવનો મૃતદેહ શોધી રહ્યા હતા અને દસમાં દિવસે કનસાડથી આગળ દરિયા નજીકથી નીવનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે ગત 16મી જુલાઈના રોજ નીવ તેનું બાળક ન હોવાની શંકાને આધારે તેના પિતા નિશિતે નાંદીડા ગામે મીંઢોળા નદીના પુલ પરથી નદીમાં ફેંકી દીધો હતો. નિશિતે કબૂલાત કરી હતી કે તેણે પોતાના અઢી વર્ષના માસૂમ પુત્ર નીવનું અપહરણનું તરકટ રચ્યા બાદ આખરે તેણે નીવ તેનું બાળક ન હોવાની શંકાને આધારે નદીમાં ફેંકી દીધો હતો.
Published at : 25 Jul 2018 08:18 PM (IST)
View More




















