સુરતઃ થોડા સમય પહેલા વીએચપીના આંતરાષ્ટ્રી કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પોતાનું એન્કાઉન્ટર થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે આજે સવારે 11 વાગ્યે વડોદરાથી સુરત જતી વખતે તેમની સ્કોર્પિયો કાર સાથે અકસ્માત થતાં ભારે ચકચાર જાગી છે. કાર પાછળ આવતી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.
2/3
તેમની કારને કામરેજ પાસે અકસ્માત નડ્યો હતો. પાછળથી આવતી ટ્રક તેમની કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જોકે, આ અકસ્માતમાં તોગડિયાનો ચમત્કારિક બચાવ થયો છે. જીજે1 ડીએક્સ 0893 નંબરના ટ્રકે તેમની કાર સાથે અકસ્માત કર્યો હતો.
3/3
થોડા અઠવાડિયા પહેલાં જ ડો. પ્રવીણ તોગડીયાએ પોતાની હત્યાની વ્યક્ત કરેલી શંકા સાચી ઠરી છે. તેઓ આજે સવારે 11 કલાકે વડોદરાથી સુરત તરફ પોતાની Z+ સુરક્ષા સાથે જઈ રહ્યાં હતા ત્યારે તેમની સ્કોર્પિયો કાર પર એક ટ્રક ચઢાવી દેવામાં આવી હતી. તોગડીયા કારના પાછળના ભાગેથી માંડ બચીને બહાર આવી શક્યા છે.