![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એસરે હાઇટેક ડિસ્પ્લે સાથે લૉન્ચ કર્યુ Laptop, જાણો બેટરીથી લઇને ડિસ્પ્લે સુધીના ગજબ ફિચર્સ વિશે............
એસરના આ નવા Acer Aspire Vero લેપટોપને તમે એક જ કલર ઓપ્શનમાં 79,999 ની કિંમત સાથે ખરીદી શકો છો.
![એસરે હાઇટેક ડિસ્પ્લે સાથે લૉન્ચ કર્યુ Laptop, જાણો બેટરીથી લઇને ડિસ્પ્લે સુધીના ગજબ ફિચર્સ વિશે............ Acer launched its new Acer Aspire Vero laptop in india એસરે હાઇટેક ડિસ્પ્લે સાથે લૉન્ચ કર્યુ Laptop, જાણો બેટરીથી લઇને ડિસ્પ્લે સુધીના ગજબ ફિચર્સ વિશે............](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/11/30e1120901550fd6ed182a2983ac562a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ભારતીય માર્કેટમાં વધુ એક કંપનીએ પોતાનુ સસ્તુ લેપટૉપ લૉન્ચ કરી દીધુ છે. એસર (Acer) એ હાઇટેક ટેકનોલૉજી વાળુ પોતાનુ નવુ Acer Aspire Vero લેપટૉપ લૉન્ચ કરી દીધુ છે. આના ખાસિયત છે કે આ લેપટોપ કાર્બન ઇમિશન્સને ઓછું કરે છે, કારણ કે આમાં કંપનીએ પોસ્ટ-કંઝૂમર રીસાઇકિલ્ડ (PCR) પ્લાસ્ટિક ચૈસી (chassis) નો યૂઝ કર્યો છે. એટલુ જ નહીં કંપનીએ આમાં બીજા કેટલાય ફિચર્સને અપડેટ કર્યા છે.
શું છે આ નવા લેપટૉપની કિંમત-
એસરના આ નવા Acer Aspire Vero લેપટોપને તમે એક જ કલર ઓપ્શનમાં 79,999 ની કિંમત સાથે ખરીદી શકો છો. આને એસરના ઓનલાઇન અથવા એક્સલૂસિવ સ્ટોર અને અન્ય રીટેલર સ્ટોર પરથી પણ ખરીદી શકાય છે.
Acer Aspire Veroમાં શું છે ફિચર્સ
આ લેપટૉપમાં 15.6 ઇંચની ફૂલ એચડી આઇપીએસ એલઇડી-બેકલિટ ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે, જે 1,920 x 1,080 પિક્સલના રિઝોલ્યૂવેશન વાળી છે. 4.50GHzના ક્વાડ-કોર ઇંટેલ કોર i5-1155G7 પ્રોસેસર પર કામ કરનાર આ લેપટોપમાં તમને ઇંટેલ આઇરિસ Xe ગ્રાફિક્સ સપોર્ટ પણ મળશે. આ લેપટૉપમાં પીસીઆર પ્લાસ્ટિક ચેસીસ (PCR Plastic Chassis) છે, જેના પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર્બન ઇમિશન્સને 21% સુધી ઓછું કરી દે છે. કંપનીના હિસાબથી આ પીસીઆર પ્લાસ્ટિકને સ્ક્રીનના બેજેલ અને 50% કીકૈપ્સ પર પણ ઉપયોગ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કંપની Acer Aspire Vero લેપટૉપમાં 48Whr ની બેટરીથી છે, એકવાર ચાર્જ કરવાથી આ લેપટોપને 10 કલાક સુધી યૂઝ કરી શકાય છે. આ લેપટોપ 65Wના ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત
અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)