હા, તાજેતરના અહેવાલો સૂચવે છે કે આ છટણી મોટા પુનર્ગઠનનો એક ભાગ છે. ખર્ચ ઘટાડવાના નામે ભવિષ્યમાં પણ વધુ નોકરીઓ જવાની શક્યતાઓ છે.
સવારે 4 વાગ્યે આવ્યો એક ઈમેલ અને 8,000 લોકોની નોકરી ગઈ! દિગ્ગજ આઈટી કંપનીમાં હાહાકાર
Meta Layoffs: AI ના વધતા પ્રભાવ વચ્ચે મેટાએ સિંગાપોરથી છટણી શરૂ કરી; એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ટીમોને પડ્યો સૌથી મોટો ફટકો.

- ભવિષ્યમાં ખર્ચ ઘટાડવા વધુ છટણીની શક્યતા.
Meta Layoffs: આજે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માણસોની સુવિધા માટે બન્યા હોવા છતાં, હવે તે જ લોકોની નોકરીઓ માટે મોટો ખતરો બની રહ્યા છે. એમેઝોન, IBM અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીઓ બાદ હવે માર્ક ઝકરબર્ગની કંપની મેટા (Meta) માં પણ AI ના કારણે મોટા પાયે છટણીનો દોર શરૂ થઈ ગયો છે. કંપનીએ AI પાછળ મોટું રોકાણ કરવા અને પોતાનો ખર્ચ ઘટાડવાના હેતુથી સવારે 4 વાગ્યે એક ઈમેલ મોકલીને દુનિયાભરમાંથી આશરે 8,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અચાનક આવેલી આ આફત શું છે અને મેટા આ બચાવેલા પૈસા ક્યાં ખર્ચવા જઈ રહી છે, ચાલો આ સમગ્ર બાબતને વિગતે સમજીએ.
સિંગાપોર હબથી થઈ છટણીની શરૂઆત
મેટાએ આ છટણીની શરૂઆત પોતાના એશિયન હબ એવા સિંગાપોરથી કરી છે. 20 મેના રોજ વહેલી સવારે 4 વાગ્યે સિંગાપોરના કર્મચારીઓને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી કે હવે તેમની નોકરી છીનવાઈ ગઈ છે. આની અસર માત્ર એશિયા પૂરતી સીમિત ન રહી, સિંગાપોર બાદ તરત જ અમેરિકા અને યુરોપના કર્મચારીઓને પણ આવા જ નોટિસ ઈમેલ મળવા લાગ્યા. જે કર્મચારીઓને આની અસર થઈ છે, તેમને હાલ પૂરતું ઘરેથી જ કામ કરવાની સૂચના આપવામાં આવી છે. આ છટણીનો સૌથી મોટો ફટકો કંપનીની ટેકનિકલ, એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ટીમોને પડ્યો છે.
AI પાછળ અધધ રોકાણ અને નોકરીઓ પર સંકટ
હવે તમને સવાલ થશે કે આટલી મોટી કંપની એકસાથે આટલા લોકોને કેમ કાઢી રહી છે? તો તેનું સીધું અને સ્પષ્ટ કારણ છે- 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ'. મેટા આ વર્ષે AI પાછળ $100 બિલિયનથી વધુ રકમ ખર્ચવાનું આયોજન કરી રહી છે. આ માટે કંપનીએ પોતાનું આખું માળખું 'AI-ફર્સ્ટ' બનાવ્યું છે, એટલે કે હવે તેમનું બધું જ ધ્યાન AI ડેવલપમેન્ટ પર છે. ઝડપી નિર્ણયો લઈ શકાય તે માટે મેટાએ મેનેજમેન્ટ લેયરમાં ઘટાડો કર્યો છે અને નવી 4 AI-નેટિવ ટીમો પણ બનાવી છે. આ ધરખમ ફેરફારોથી કંપનીને દર વર્ષે આશરે $3 બિલિયનની બચત થવાનો અંદાજ છે.
આ પણ વાંચોઃ માર્ક ઝુકરબર્ગનું AI પર ફોકસ વધ્યું: મેટા કંપનીમાંથી 16,000 કર્મચારીઓની છટણીની તૈયારી
કર્મચારીઓમાં સતત ડર અને માર્ક ઝકરબર્ગનો પ્લાન
આ અચાનક આવેલી છટણીને કારણે સિંગાપોર સહિત દુનિયાભરના મેટા કર્મચારીઓમાં સતત નોકરી જવાનો ડર ઘર કરી ગયો છે, જેની સીધી અસર તેમના કામ અને માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે. કેટલાક કર્મચારીઓએ તો કંપનીના આ નિર્ણય સામે ખુલ્લી નારાજગી પણ વ્યક્ત કરી છે અને તેમને એ વાતની પણ ચિંતા છે કે તેમના જ ડેટાનો ઉપયોગ AI ને ટ્રેનિંગ આપવા માટે થઈ શકે છે.
બીજી બાજુ, મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે AI ને કંપનીની સૌથી પહેલી પ્રાથમિકતા બનાવી દીધી છે. Google અને OpenAI જેવી હરીફ કંપનીઓ સામે મજબૂતાઈથી ટકી રહેવા માટે મેટા પોતાના એન્જિનિયરોને પણ વધુમાં વધુ AI ટૂલ્સનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી રહી છે.
આ પણ વાંચોઃ Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
શું ભવિષ્યમાં વધુ છટણી થશે?
જો તાજેતરના અહેવાલોનું માનીએ તો, આ 8,000 લોકોની છટણી એ મેટામાં ચાલી રહેલા મોટા પુનર્ગઠન (રીસ્ટ્રક્ચરિંગ) નો જ એક હિસ્સો છે. જોકે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો કે માહિતી આપવામાં આવી નથી, પરંતુ ભવિષ્યમાં પણ ખર્ચ ઘટાડવાના નામે વધુ લોકોની નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
Frequently Asked Questions
શું ભવિષ્યમાં મેટામાં વધુ છટણી થવાની શક્યતા છે?





















