શોધખોળ કરો
પારુલ યુનિ.ની વધુ એક વિદ્યાર્થિની પર બળાત્કાર, જાણો કઈ રીતે બની ઘટના?
1/4

વડોદરાઃ શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર કોલેજના જ વાનચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સગીર વિદ્યાર્થિનીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તે જે વાનમાં કોલેજ જતી હતી, તેના જ ચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
2/4

યુનિ.ના પૂર્વ સંચાલક જયેશ પટેલ દ્વારા નિર્સિંગની કોલેજની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવ્યા પછી યુનિ.ની વધુ એક વિદ્યાર્થિની પર બળાત્કાર થતાં ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે, વિદ્યાર્થિનીએ કોલેજના વાનચાલક પ્રદીપ રાઠોડ (ઉ.વ.24) નામના યુવાન સામે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વાનચાલક પ્રદીપ ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો. દરમિયાન પ્રદીપે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વિદ્યાર્થિનીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published at : 22 Aug 2016 10:27 AM (IST)
View More





















