શોધખોળ કરો
વડોદરાઃ પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ
1/3
વડોદરા:વાડી ભાટવાડામાં એક મહિલાએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. મહિલાને પોતાના પતિના મોતના સમાચાર સાંભળીને ખૂબ આઘાત લાગ્યો હતો અને આ આઘાત સહન ન કરી શકતા તેણે આ પગલું ભરી લીધું હતું. આ અંગેની મળતી માહિતી પ્રમાણે ગાભાના દાગીના બનાવતા 40 વર્ષિય વિનાયક માંડલિયા વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલી શિવાજીકૃપા બિલ્ડિંગ રહેતા હતા. સોમવારે સવારે તેઓ પોતાની દુકાન ગયા હતા, ત્યારે તેમને એટેક આવ્યો હતો. જેમને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
2/3

સોમવારે માંડવીના શ્રીનાથ ચેમ્બર ખાતે આવેલી પોતાની દુકાન ગયા પછી તેઓ મોડી રાત સુધી ઘરે પરત આવ્યા નહોતા. જેથી તેમના ભાઈ હેમકુંજ માંડલિયા રાત્રે દસ વાગ્યે દુકાને ગયા હતાં. જ્યાં વિનાયકભાઇ બેભાન અવસ્થામા હતા. આથી તેમને શહેરની જમનાભાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા હતાં. બીજી તરફ હોસ્પિટલમાં સાસુની સારવાર કરી રહેલા વિનાયકભાઈના પત્ની પ્રીતિબેનને પતિના મોતના સમાચાર મળતા તેમણે છઠ્ઠા માળેથી કુદી આત્મહત્યા કરી હતી. હાલ પતિ-પત્ની બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Published at : 20 Sep 2016 02:22 PM (IST)
Tags :
Vadodara NewsView More





















