Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
મોરબી વ્યાજખોરના કારણે આપઘાત
-------------------------------------
વ્યાજખોરીના વિષચક્રમાં ફસાઈને અનેક લોકો આત્મહત્યા કર્યાની ઘટના સતત બનતી રહે છે...મોરબીમાં વ્યાજખોરોના માનસિક ત્રાસને કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી.... શનાળા રોડ પર ‘મોમ્સ’ હોટલ ચલાવતા અશ્વિનભાઈ બોપલીયાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો.પરિવારની ફરિયાદ મુજબ અશ્વિનભાઈએ ધંધા માટે અનેક વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે લોન લીધી હતી. 75 લાખથી વધુ વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીઓએ મકાનના દસ્તાવેજ, કોરા ચેક અને મોબાઈલ પડાવીને સતત માનસિક ત્રાસ આપતા હતા. આત્મહત્યાના આગલા દિવસે પણ ધમકીઓ આપવામાં આવી....મોરબી પોલીસે કેસ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરતાં ત્રણ આરોપીઓ કિશન રાઠોડ, ભરત રાઠોડ અને ગીરીરાજસિંહ ગોહીલની ધરપકડ કરી લીધી... વધુ આરોપીઓની શોધમાં પોલીસ તપાસ કરી રહી છે....
----------------------------------------
સુરેન્દ્રનગર પ્રેમસુખ ડેલુ પ્રશંસનિય કામગીરી
----------------------------------------
સુરેન્દ્રનગર પોલીસે કરી પ્રસંશનીય કામગીરી ...સુરેન્દ્રનગરના અનિલભાઈ પરમારે 35 તોલા સોનાના દાગીના ગીરવે મૂકીને નાણાં લીધા હતા.... સમયસર વ્યાજ સહિત રકમ ચૂકવી દેવા છતાં ઝાલાભાઈ બાંભા અને હિતેશભાઈ ખરગિયા નામના વ્યાજખોરોએ દાગીના પરત આપવાની ના પાડી વધુ ઉઘરાણી કરી....અનિલભાઈએ આખરે એસ.પી. પ્રેમસુખ ડેલુ પાસે અરજી કરી.....એસ.પી.એ તાત્કાલિક કાર્યવાહી કરતાં માત્ર 6 કલાકમાં જ અંદાજે 51 લાખની કિંમતના 35 તોલા સોનાના દાગીના પરત અપાવી દીધા.....આ કાર્યવાહી બાદ એસ.પી. પ્રેમસુખ ડેલુએ જનતાને અપીલ કરી છે કે, વ્યાજખોરોથી ડરવાની જરૂર નથી, નિર્ભય બનીને પોલીસ પાસે આવો, અમે તમારી મદદ કરીશું.....
------------------------------------------
સુરેન્દ્રનગર એપ્રિલમાં વિકલાંગને રૂપિયા અપાવ્યા પરત
------------------------------------------
ગત 19 એપ્રિલ,2026ના રોજ સુરેન્દ્રનગરમાં એસ.પી. પ્રેમસુખ ડેલુની નાગરિકો પ્રત્યે સંવેદનશીલ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી જોવા મળી.. જ્યોતિનગરમાં રહેતા વિકલાંગ દંપતી સુરેશભાઈ અને તેમની પત્નીને વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત કરવામાં આવ્યા...દંપતીએ કિશોરભાઈ હડીયલ પાસેથી ₹6.70 લાખ લીધા અને તેના બદલે મકાનના અસલ દસ્તાવેજ ગીરવે મૂક્યા....રકમ ચૂકવી દેવા છતાં વ્યાજખોરે ₹10 લાખની માંગ કરીને દસ્તાવેજ પરત આપવાનો ઇનકાર કર્યો.... દંપતી જ્યારે એસ.પી. પાસે પહોંચ્યું ત્યારે પ્રેમસુખ ડેલુ પોતે નીચે આવ્યા અને તેમની વ્યથા સાંભળી. તેમણે તાત્કાલિક બી-ડિવિઝન પોલીસને કાર્યવાહીના આદેશ આપ્યા. પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે માત્ર કલાકોમાં જ વિકલાંગ દંપતીને તેમના મકાનના અસલ દસ્તાવેજ અને કોરા ચેક પરત મળી ગયા.....






















