શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | પ્રસાદને વહેંચો, વેચશો નહીં

લાખો કરોડો લોકોના આસ્થાના કેન્દ્રસમા તિરૂપતિ તિરૂમાલા મંદિરના પ્રસાદના લાડુમાં પ્રાણીની ચરબી અને માછલીનું તેલ મળી આવ્યું. આ પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચાતો હતો. એટલું જ નહીં ભગવાનને પણ ધરાવવામાં આવતો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સમગ્ર મુદ્દે ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો. કે અગાઉની જગન મોહન રેડ્ડીની સરકાર YSR કોંગ્રેસે 2019થી 2024 દરમિયાન પ્રસાદના લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. જો કે જગનમોહન રેડ્ડી સરકારે આ તમામ આરોપોને ફગાવી દીધા...અને તેને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું. તો બીજી તરફ આ મુદ્દે આજે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ પહેલા સરકારે પોલીસ અધિકારી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના નેતૃત્વમાં એક SITનું ગઠન કર્યું છે. જે ભેળસેળ મુદ્દે તપાસ કરી રહી છે.

મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના લાડુ પ્રસાદનો વિવાદ સામે આવ્યો છે. પ્રસાદનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મંદિરના પ્રસાદમાં ઉંદરના બચ્ચાં મળી આવ્યા. વીડિયોમાં પ્રસાદનું કેરેટ દેખાય છે તેમાં પ્રસાદના પેકેટ છે. કેરેટના એક ખૂણામાં પ્રસાદ વચ્ચે ઉંદરના બચ્ચાં દેખાય છે. વીડિયો સામે આવ્યા બાદ સિદ્ધિ વિનાયક ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ સદા સરવણકરે પ્રસાદની શુદ્ધતા અંગે પ્રતિક્રિયા આપી. ટ્રસ્ટે કહ્યું કે, જે વીડિયો વાયરલ થયો છે તે સિદ્ધિ વિનાયક મંદિરનો નથી. અમારી ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે....આ મુદ્દે પોલીસ ફરિયાદ કરીશું.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં અપાતી લાડુની પ્રસાદીની તપાસ કરવાની માંગ ઉઠી છે. આ માગ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ મંદિરના જ પુજારીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને કરી છે. ડાકોરના રણછોડરાયજી મંદિરના પુજારીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી, જેના કમેન્ટ સેક્શનમાં લાડુ પ્રસાદીનો વીડિયો પણ અપલોડ કરાયો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, પહેલા ડાકોર મંદિરમાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, ત્યારે મહિના સુધી લાડુને કંઈ થતું ન હતું. અત્યારના ઘીથી લાડુમાં ચાર-પાંચ દિવસમાં જ વાસ આવવા માંડે છે અને લાડુ વળતા પણ નથી. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે ડાકોર મંદિરના સેવક ટ્રસ્ટી ભરત ખંભોળજાએ તમામ આરોપોને નકાર્યા છે. ભરતભાઈએ કહ્યું કે, મંદિરમાં વપરાતી તમામ સામગ્રીની ચોક્કસ ચકાસણી થતી જ હોય છે. લાડુ પ્રસાદમાં વપરાતા ઘઉં મધ્યપ્રદેશથી આવે છે. લાડુ પ્રસાદમાં વપરાતું ઘી દેશની વિખ્યાત ડેરી અમુલમાંથી આવે છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગરબા પહેલા વરસાદનો રાઉન્ડ
Hun To Bolish | હું તો બોલીશ | ગરબા પહેલા વરસાદનો રાઉન્ડ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Mark Zukerberg:  200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Mark Zukerberg: 200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Vinesh Phogat: ચૂંટણી પ્રચાર વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાઈ વિનેશ ફોગાટ , NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ
Vinesh Phogat: ચૂંટણી પ્રચાર વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાઈ વિનેશ ફોગાટ , NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગરબા પહેલા વરસાદનો રાઉન્ડHun To Bolish | હું તો બોલીશ | પ્રસાદને વહેંચો, વેચશો નહીંSurat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા!Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Mark Zukerberg:  200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Mark Zukerberg: 200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Vinesh Phogat: ચૂંટણી પ્રચાર વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાઈ વિનેશ ફોગાટ , NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ
Vinesh Phogat: ચૂંટણી પ્રચાર વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાઈ વિનેશ ફોગાટ , NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો!  53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો! 53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Rain Forecast: વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
Aurangabad News: તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
Aurangabad News: તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
Embed widget