Harsh Sanghvi : નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીનું પહેલું નિવેદન
Harsh Sanghvi : નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીનું પહેલું નિવેદન
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શુક્રવારે (17 ઓક્ટોબર) સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 26 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બાદમાં ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી- ગૃહ વિભાગ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યોરિટી, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, નશાબંધી તથા આબકારી અને જકાત, ટ્રાન્સપોર્ટ, કાયદા મંત્રાલય, રમતગમત તથા યુવા અને સંસ્કૃતિ મંત્રાલય,લઘુ તથા મધ્યમ ઉદ્યોગ, પ્રીન્ટીંગ તથા સ્ટેશનરી, પવિત્ર યાત્રાધામ બોર્ડ, સિવિલ એવિએશન વિભાગની ફાળવણી કરવામા આવી છે.




















