Jayesh Radadiya: મહીસાગરમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં રાદડિયાનું મોટું નિવેદન
Jayesh Radadiya: મહીસાગરમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં રાદડિયાનું મોટું નિવેદન
શનિવારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં યોજાયેલા પાટીદાર સમાજ સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય જયેશ રાદડીયાએ સમાજને એક અને સંગઠીત થવાની હાકલ કરી. સાથે જ કહ્યું કે સમાજમાં આગળ વધતા નેતાઓ આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં. હાથ ખેંચીને આગળ વધારો, પગ ખેંચીને નીચે ન પછાડો.. એટલુ જ નહીં. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા જયેશ રાદડીયાએ કહ્યું કે આવડા મોટા સમાજને આટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળી શકતા તે સમાજની સૌથી મોટી કમનસીબી છે. આવનારા દિવસોમાં સમાજને જ્યાં જરૂર પડે ત્યાં ભેગુ થવુ જ પડશે.. જરૂર પડે ત્યાં સમાજના લોકોનો હાથ ખેંચો તેને ઉપર લાવો.




















