શોધખોળ કરો
અબુ ધાબી: મોદીએ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો
1/5

અબુ ધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. જે બાદ તેઓ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, અબુ ધાબીમાં સેતુ રૂપ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ માનવ પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર ખૂબ ભવ્ય હશે. આ માટે હું યુએઈના પ્રિન્સનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
2/5

વડાપ્રધાન મોદી શનિવારે પેલેસ્ટાઇન પ્રવાસ પૂરો કરી સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા. પીએમે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દના ઉપકમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયલ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે 5 એમઓયુ પણ થયા હતા.
Published at : 11 Feb 2018 07:31 AM (IST)
View More























