શોધખોળ કરો

Agriculture News: રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવને લઈને મોદી સરકારે કરી મોટી જાહેરાત

ગાંધીનગર: રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.

ગાંધીનગર: ધરતીપુત્રોના હિતને લઈને ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૨ થી ૭ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૫૦ પ્રતિ ક્વિ., ચણામાં રૂ. ૧૦૫ પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. ૨૦૦ પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ ૨૦૨૩-૨૪માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. ૨૨૭૫ પ્રતિ ક્વિ., જવ માટે રૂ. ૧૮૫૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ., મસૂર માટે રૂ. ૬૪૨૫ પ્રતિ ક્વિ., રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. અને કસુમ્બી માટે રૂ. ૫૮૦૦ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. ૧૦૫ થી રૂ. ૪૨૫ પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૨૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું.

અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોએ કરાવી છે નોંંધણી

મંત્રી  રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, તા. ૧૫ ઑક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે ૩૫,૫૮૫ ખેડૂતો, સોયાબીન માટે ૨૩,૩૧૬ ખેડૂતો, મગ પાક માટે ૯૫ ખેડૂતો અને અડદ પાક માટે ૬૨ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં સહભાગી થઈ તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મેળવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.


Agriculture News: રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવને લઈને મોદી સરકારે કરી મોટી જાહેરાત

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  

ક્યારથી ટેકાના ભાવે શરૂ કરાશે ખરીદી

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭/- કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮/- કિવ., અડદનો ટેકાનો ભાવ રૂ.૬૯૫૦/- કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. ૪૬૦૦/- કિવ. જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૧-૧૦-૨૦૨૩ શનિવારના રોજથી શરૂ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
Embed widget