શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દર્દી પર ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દર્દી પર ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે હોસ્પિટલની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઉઠ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવો  વિધિ કરી રહ્યો છે. મુકેશ ભૂવાજી નામના ભૂવાએ ICUમાં વિધી કરી હતી.

ડૉકટરની દવાથી નહીં, ભૂવાજીની ભભૂતિથી દર્દી સ્વસ્થ થયાનો ભૂવાએ દાવો કર્યો હતો. વેન્ટિલેટર પર રહેલા દર્દીની ICUમાં જઈ સારવાર કર્યાનો મુકેશ ભૂવાએ દાવો કર્યો હતો. નવેમ્બર મહિનામાં ભૂવાજીનો દર્દી પર વિધિ કરતો વીડિયો વાયરલ થયો હતો. સિવિલના ICUમાં ભૂવાની સારવારના વીડિયો અંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ અજાણ છે.

એશિયાની સૌથી મોટી હોસ્પિટલની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વીડિયો મુદ્દે સિવિલ સત્તાધીશોનું ભેદી મૌન રાખ્યું છે. વાયરલ વીડિયો બાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોષીએ સ્પષ્ટતા કરી હતી કે મુકેશ ભૂવાજી દર્દીના સ્વજન બની અંદર ગયા હતા. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલ પાસ ઈશ્યુ કરે છે . દર્દીના સ્વજનનો પાસનો ઉપયોગ કરી ભૂવાજી દર્દી સુધી પહોંચ્યો હતો. ભૂવાજીની ભભૂતિથી દર્દી સ્વસ્થ થયાના દાવા પાયાવિહોણા છે. હોસ્પિટલના તબીબોની સારવારના કારણે દર્દી સ્વસ્થ થયા છે. હોસ્પિટલના ICUની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. CCTV ફૂટેજની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સિવિલ સુપ્રિટેન્ડન્ટે અપીલ કરી હતી.

કોંગ્રેસ નેતા ડૉક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે મેડિકલ સાયન્સનો કોઈ વિકલ્પ જ નથી. ભભૂતિ કે ધોરા- ધાગાથી ક્યારેય કોઈ સ્વસ્થ થાય નહીં. દર્દીના સ્વજનોના બહાને ભૂવાજીઓ અંદર પ્રવેશે છે. દર્દીના સ્વજનો જ ભૂવાને અંદર પ્રવેશ આપે છે. દર્દીના સ્વજનોને ક્યારેય હોસ્પિટલ સંચાલકો અટકાવી શકતા નથી.

સિનીયર ફિઝિશિયન ડૉ. વસંત પટેલે કહ્યું હતું કે અંધશ્રદ્ધા વિરોધી કાયદો પણ સરકાર લાવી છે. સરકાર કાયદો લાવી છતા અંધશ્રદ્ધા અટકવાનું નામ લઇ રહી નથી. દર્દીના સ્વજન ન આવી શકે ત્યાં ભૂવો કેવી રીતે આવી શકે? ICUના તબીબો અને સ્ટાફ ભૂવાની વિધી સમયે ક્યાં હતો? હોસ્પિટલમાં સિક્યોરિટીમાં ગંભીર બેદરકારી ક્યારેય સાંખી ન લેવાય.

ભાજપ નેતા ડૉક્ટર કમલેશ રાજગોરે કહ્યું હતું કે જ્યાં પણ ત્રુટિઓ હશે તેની તપાસ થશે. જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી થશે. વિજ્ઞાનના યુગમાં પણ હજુ અંધશ્રદ્ધા પ્રવર્તે છે.અંધશ્રદ્ધામાંથી હવે બહાર આવવાની જરૂર છે. સમાજોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે. સરકાર ક્યારેય જવાબદારીમાંથી ન છટકી શકે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું હતું કે ગતિશીલ રાજ્યમાં આ તો કેવી ઘટના બને છે. સિવિલ હોસ્પિટલની સલામતી સામે સૌથી મોટો પ્રશ્ન છે. એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની સુરક્ષામાં છીંડા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget