શોધખોળ કરો
જો ગુજરાતમાં હાલ ચૂંટણી યોજાય તો ભાજપને ફક્ત 60-65 બેઠકો મળશેઃ RSSના સર્વેમાં થયો ખુલાસો
1/8

હવે ગુજરાતમાં ચૂંટણીને લઇને એક વર્ષથી ઓછો સમય છે ત્યારે અમિત શાહ પાસે ઓછો સમય રહેશે. ગુજરાતને આરએસએસની લેબોરેટરી માનવામાં આવે છે ત્યારે તેને ગુમાવવું પરવડી શકે તેમ નથી. જો અમિત શાહને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે.પી નડ્ડા અથવા તો પાર્ટી જનરલ સેક્રેટરી રામ માધવને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.
2/8

આરએસએસના સૂત્રોના કહેવા પ્રમાણે, આનંદીબેનના અનુગામી તરીકેના દાવેદારોમાં અમિત શાહ સૌની પસંદ માનવામાં આવી રહ્યા છે. દિલ્લી, પશ્વિમ બંગાળ, તમિલનાડુમાં મળેલી હાર બાદ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં બીજેપી પાસે ઘણી ઓછી તકો છે. આરએસએસની ટોચની નેતાગીરી અમિત શાહને ઉત્તરપ્રદેશની ચૂંટણીને લઇને હટાવવા નથી માંગતી. પણ આરએસએસના ટોચના નેતાઓનું માનવું છે કે ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા દલિત અને પાટીદાર આંદોલનને સમાવવા માટે અમિત શાહ ટ્રબલશૂટર સાબિત થઇ શકે છે.
Published at : 03 Aug 2016 12:23 PM (IST)
View More





















