શોધખોળ કરો
હેરિટેજ સિટીનો દાવો ચકાસવા માટે યુનેસ્કોની ટીમ આજે અમદાવાદની મુલાકાતે
1/4

યુનેસ્કોની ટીમ આવી રહી છે ત્યારે 26 જેટલા ઐતિહાસિક સ્મારકોની આસપાસમાં બેસતા ફેરિયાઓએ સ્વૈચ્છિક રીતે ચાર દિવસ અહીંથી ખસી જવા મેયર ગૌતમ શાહ સમક્ષ બાંયેધરી આપી છે. યુનેસ્કોની ટીમ ઐતિહાસિક ઈમારતો, સ્થળો અને કોટ વિસ્તારની પોળો તથા હેરિટેજ મિલ્કતોની મુલાકાત લેશે.
2/4

વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવી શકે તેવા મુખ્ય ત્રણ માપદંડઃ ટેકનોલોજી, ટાઉનપ્લાનિંગ અને લેન્ડસ્કેપની ડિઝાઈનમાં માનવમૂલ્યોનું અહીં મહત્વનું પરિબળ સ્થાપત્યો સાથે સંકળાયેલું છે. પરંપરાગત માનવ સ્થળાંતરનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં જોવા મળે છે. અર્થાત સમાજનું પ્રતિબિંબ, કલાત્મક રીતે કોટ વિસ્તારનું આયોજન, નગરનું વિશેષ આયોજન અને સ્થાપત્યોનો અદભૂત સમન્વય અહીં જોવા મળે છે. અહીં વસવાટ કરી રહેલા માનવસમુદાયની સંસ્કૃતિ, વૈભવ અને વારસાનું અસરકારક પ્રતિબંબ અહીં જોવા મળે છે.
Published at : 27 Sep 2016 07:09 AM (IST)
Tags :
AhmedabadView More



















