શોધખોળ કરો
હાર્દિક પટેલ કઈ જગ્યાએ કરશે આમરણાંત ઉપવાસ, જાહેર કર્યો 13 દિવસનો કાર્યક્રમ, જાણો વિગત
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 14 Aug 2018 12:45 PM (IST)
1/8

5-9-2018 તારીખે કપડવંજ, વિરપુર, બાલાસિનોર, કઠલાલ, ખેડા, માતર, નડિયાદ, ઠાસરા, સોજીત્રા, ઉમરેઠ, આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ, રાજપીપળાના લોકો હાજર રહેશે. 6-9-2018 તારીખે ભરૂચ, જંબુસર. આમોદ, ઝઘડિયા, નવસારી, વલસાડ, અંકલેશ્વરના આવી પહોંચશે.
2/8

2-9-2018 તારીખે અમદાવાદ, માંડલ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઈ, પાટડી, વઢવાણ, મુળી, ચોટીલા, સાયલા, ચુડા, લીંબડીના લોકો અમદાવાદના નિકોલ આવશે. 3-9-2018 તારીખે સિદ્ધપુર, પાટણ, પાલનપુર, રાપર, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, કડી, વડનગર, મહેસાણા, તેનપુર, બાયડ, માલપુર, મોડાસા, ધનસુરાના લોકો અમદાવાદમાં આવી પહોંચશે. જ્યારે 4-9-2018 તારીખે કુતિયાણા, જુનાગઢ, બોટાદ, ગઢડા, વલ્લભીપુર,ઉમરાળા, લુણાવાડા, શહેરા, ગોધરા, હાલોલ, કલોલ, કડાણા, ખાનપુર, સંખેડા, ડભોઈ, કરજણ, પાદરા, સિનોર, વાઘોડિયા, વડોદરાના લોકો આવશે.
3/8

31-8-2018 તારીખે ભાવનગર, ઘોઘા,સિંહોર, ગારિયાધાર, પાલીતાણા, સુરત, તળાજા, મહુવાના લોકો હાજર રહેશે જ્યારે 1-9-2018 તારીખે બહુચરાજી, લખતર, ધોળકા, બાવળા, સાણંદ, માણસા, ગોઝારિયા, વિસનગર, સતલાસણા, વિજાપુર, કલોલ, ગાંધીનગર, દહેગામના લોકો હાજર રહીને હાર્દિક સાથે ઉપવાસ પર બેસસે.
4/8

29-8-2018 તારીખે ટંકારા, મોરબી, માળીયા, પડધરી, હળવદ, વાંકાનેર, લોધિકા, કોટડા-સાંગાણી, જસદણ, ગોંડલ, જેતપુર, જામકંડોરણાથી લોકો આવી પહોંચશે. આ ઉપરાંત 30-8-2018 તારીખે જુનાગઢ, સોમનાથ, ગિર ગઢડા, ભાયાવદર, પાનેલી, વંથલી, માળીયા, મેંદરડા, તાલાલા, બાબરા, લાઠી, સાવરકુંડલા, બગસરા,ધારી, ખાંભા, લીલીયા, અમરેલી, રાજુલા, કુંકાવાવના લોકો હાજરી આપીને ઉપવાસ પર બેસસે.
5/8

27-8-2018 તારીખે માણાવદર, જામજોધપુર, ભેંસાણ, વિસાવદર, કેશોદ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામનગરથી લોકો આવશે. જ્યારે 28-8-2018 તારીખે મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, હિંમતનગર, ઈડર, વડાલી, તલોદ, પ્રાંતિજના લોકો હાજરી આપશે.
6/8

25-8-2018- સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ હાજર રહેશે. 26-8-2018-ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ હાર્દિક પટેલને રક્ષા બંધન નિમિત્તે રાખડી બાંધવા આવશે.
7/8

આ 13 દિવસ દરમિયાન વિવિધ જિલ્લા-તાલુકામાંથી પાટીદાર આગેવાનો આવીને હાર્દિક સાથે પ્રતિક ઉપવાસ પર બેસસે. આ આમરણાંત ઉપવાસમાં સમગ્ર ગુજરાતના અલગ-અલગ તાલુકા-જિલ્લાના 137 વિસ્તારોમાંથી અનેક લોકો આવશે. માત્ર ગુજરાત જ નહીં, દેશના અન્ય છ રાજ્યોના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવી શક્યતા છે. હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તિસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાંથી લોકો આવે તેવી શક્યતા છે.
8/8

અમદાવાદઃ પાટીદારોને અનામત આપવા મુદ્દે ફરી એકવાર પાસ નેતા હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. આમરણાંત ઉપવાસને લઈને હાર્દિક પટેલે 13 દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ માટે નિકોલ પાસેનું મેદાન માંગ્યું હતું પરંતુ હજુ સુધી તેને મંજૂરી આપવામાં આવી નથી. આ મુદ્દે હાર્દિકે જણાવ્યું હતું કે, સરકાર ઉપવાસના સ્થળની મંજૂરી આપે કે ન આપે હું ઉપવાસ કરવા તો નિકોલમાં જ બેસવાનો છું.
Published at : 14 Aug 2018 12:37 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી
અમદાવાદ
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદ
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
અમદાવાદ
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક
ટ્રેન્ડિંગ સમાચાર






















