શોધખોળ કરો

Chandra Grahan 2022: આજે ચંદ્રગ્રહણ, ભારતના કયાં ભાગમાં જોવા મળશે, આ 4 રાશિને થશે લાભ

Chandra Grahan Important Facts: વર્ષનું અંતિક ચંદ્રગ્રહણ લગભગ 6 કલાક બાદ લાગશે. આ ચંદ્ર ગ્રહણની કઇ રાશિ પર અસર થશે, જાણીએ

Chandra Grahan Important Facts: વર્ષનું અંતિક ચંદ્રગ્રહણ લગભગ 6 કલાક બાદ લાગશે. આ ચંદ્ર ગ્રહણની કઇ રાશિ પર અસર થશે, જાણીએ

ચંદ્રગ્રહણનો સુતક કાળ શરૂ થાય છે

પંચાંગ અનુસાર ચંદ્રગ્રહણ બપોરે 2.39 વાગ્યે શરૂ થશે અને તેનો સુતક સમયગાળો સવારે 5.53 વાગ્યાથી શરૂ થઈ ગયો છે.

ક્યારે શરૂ થશે અને ક્યારે થશે પૂર્ણ

દેશમાં આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે 8 નવેમ્બર 2022ના રોજ થશે. ચંદ્રોદય સમયે ગ્રહણ ભારતના તમામ સ્થળોએથી દેખાશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલયના નિવેદન મુજબ, "ગ્રહણના આંશિક અને સંપૂર્ણ તબક્કાની શરૂઆત ભારતમાં કોઈપણ જગ્યાએથી દેખાશે નહીં કારણ કે આ ઘટના ભારતમાં ચંદ્રોદય પહેલા શરૂ થઈ ગઈ હશે." ભારતમાં ચંદ્રગ્રહણ સાંજે 5.32 થી સાંજે 6.18. જોઈ શકાશે. જાણકારી અનુસાર ચંદ્રગ્રહણ 2.21 વાગ્યે શરૂ થશે અને 6.18 વાગ્યે સમાપ્ત થશે.

 ચંદ્રગ્રહણ કયાં ભાગમાં જોઇ શકાશે

ભારતમાં આ ચંદ્રગ્રહણ આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ ઉપરાંત પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ભારતના અન્ય તમામ વિસ્તારોમાં ખંડગ્રાસના રૂપમાં દેખાશે. .

ચંદ્રગ્રહણ વિશ્વના આ દેશોમાં દેખાશે

 બાંગ્લાદેશ, મધ્ય અને પૂર્વ નેપાળ, ગ્રીનલેન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, કેનેડા, મેક્સિકો, અલાસ્કા, એન્ટાર્કટિકા, ન્યુઝીલેન્ડ તરફનો ઉત્તરીય પ્રદેશ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, મ્યાનમાર, કોરિયા, જાપાન, ચીન, મંગોલિયા, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, ઓમાન, ઈરાન, અફઘાનિસ્તાન, ફિનલેન્ડ, ઉત્તરી સ્વીડન, આઈસલેન્ડમાં દેખાશે.  

આ વિસ્તારો પર પડશે  અસર

 વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણની અસર દક્ષિણ/પૂર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગર સહિત ભારતની ભૂમિ પર પડશે.

આ રાશિ પર ચંગ્રગ્રહણની થશે અસર

આ ચંદ્રગ્રહણથી કર્ક, મિથુન, વૃશ્ચિક, કુંભ રાશિના લોકોને ફાયદો થશે, જ્યારે મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધનુ, મકર અને મીન રાશિના લોકોને પરેશાની થઈ શકે છે.

ચંદ્ર ગ્રહણ દરમિયાન ન કરો આ કામ

  • ચંદ્ર ગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે.
  • આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
  • ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લાગતા પહેલા તુલસીના પાન તોડી લો.
  • સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ.
  • આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો.
  • સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.
  • ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ.
  • ગ્રહણ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે.

ચંદ્રગ્રહણ દરમિયાન કરો આ કામ

  • ચંદ્ર ગ્રહણની અસર મન અને મગજ પર પડે છે. તેની ખરાબ અસરોથી બચવા માટે ગ્રહણના સમયગાળા દરમિયાન ધ્યાન કરવું જોઈએ.
  • આ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ.
  • ગ્રહણ દરમિયાન ઓછામાં ઓછા 108 વખત તમારા પ્રમુખ દેવતાના મંત્રોનો જાપ કરો.
  • શિવલિંગને જળ અર્પણ કરો અને ऊँ नम: शिवाय  મંત્રનો જાપ કરો. આનાથી ચંદ્ર ગ્રહણની ખરાબ અસર પડતી નથી.
  • ગ્રહણ દરમિયાન દુર્વા ઘાસ તમારી પાસે રાખો.
  • ગ્રહણ દરમિયાન માનસિક કે શારીરિક તણાવ ન લેવો જોઈએ.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પંચક 2026: બદલાતું હવામાન અને 'રોગ પંચક'નો ડબલ એટેક, શું આ કોઈ મોટા ખતરાનો સંકેત છે?
પંચક 2026: બદલાતું હવામાન અને 'રોગ પંચક'નો ડબલ એટેક, શું આ કોઈ મોટા ખતરાનો સંકેત છે?
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
Aaj Nu Rashifal : મેષ સહિત આ રાશિની નોકરીના તલાશ થશે પૂર્ણ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal : મેષ સહિત આ રાશિની નોકરીના તલાશ થશે પૂર્ણ, જાણો 12 રાશિનું ફળાદેશ
Shaniwar Na Upay: શનિવારના શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય,ધન-ધાન્યની થશે પ્રાપ્તિ
Shaniwar Na Upay: શનિવારના શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય,ધન-ધાન્યની થશે પ્રાપ્તિ

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Embed widget