શોધખોળ કરો

Bageshwar Dham: લગ્ન કરવાના સવાલ પર જાણો શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનું માનવું છે કે તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું ચાલુ રાખશે અને આ અંગે ઘણી વખત ખુલ્લેઆમ વાત કરી છે.

Dhirendra Shastri : બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનું માનવું છે કે તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું ચાલુ રાખશે અને આ અંગે ઘણી વખત ખુલ્લેઆમ વાત કરી છે. તેમના લગ્નને લઈને થોડા દિવસોથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પણ આ વિશે વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે તે થોડા દિવસોમાં લગ્ન કરશે. મીડિયા સાથે વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, 'મારા લગ્નની ચર્ચા ચાલ્યા કરે છે અને ખૂબ લાંબા સમયથી ચાલી રહી છે. એમા કંઈ નથી... ભારતમાં ચાની ચર્ચા થઈ શકે છે તો પછી આપણા લગ્નની ચર્ચા કેમ ન થાય. આ કોઈ મોટી વાત નથી. ખૂબ જ ઓછા સમયમાં લગ્ન થશે, સારા પરિવારમાં થશે અને ભગવાન જાણે કેવી પત્ની મળશે.'

ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી હિન્દુ રાષ્ટ્રના મુદ્દે બોલ્યા

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, 'આખું વિશ્વ હિન્દુ છે. જો કે, અમે કોઈને ધમકી કે દબાણ કર્યું નથી. અમે ફક્ત એટલું જ કહ્યું કે બધા હિંદુ છે, હવે જે કોઈ માને છે તે બાગેશ્વર બાલા જી અને તમામ સંતોના સમર્થનમાં છે. જેઓ માનતા નથી તેઓ વિરોધમાં છે. જેઓ વિરોધમાં છે તેમને આપણે ન તો સમજાવવાના છે કે ન તો ધમકાવવાના છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે અમે અહિંસક છીએ, અમારે રાજનીતિ નથી કરવી, ન તો અમારે નેતા બનવુ છે. તેમણે કહ્યું કે ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો મળ્યા છે અને તે અંતર્ગત અમે અમારી વાત રાખીએ છીએ અને હિંદુઓને એક કરી રહ્યા છીએ.


ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઈસ્લામિક ધર્મગુરુઓ વિશે કહ્યું હતું કે જે લોકોમાં સત્ય સાંભળવાની હિંમત છે તે અમારો સાથ આપી રહ્યા છે અને જે અમને સાથ નથી આપતા તે તેમનો ડર છે અને તેમનો ડર અકબંધ રહેશે. ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના લક્ષ્ય વિશે પણ વાત કરી હતી. શાસ્ત્રીએ કહ્યું કે તેઓ કોઈ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાનું જીવન જીવતા નથી. તેણે કહ્યું, 'અમારા કોઈ સપના નથી. કોઈ કથાકાર બનવાનું સપનુ પણ  નથી. અમારુ સપનુ સનાતન છે. 

ધર્માંતરણ મુદ્દે ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું ?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ખૂબ જ વિકરાળ પરિસ્થિતિઓ  છે, નિર્દોષ લોકોને લાલચ બતાવીને ધર્મ બદલવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું, '...જોકે, ઘર વાપસી પર હું કહેવા માંગુ છું કે બધા હિંદુ છે અને બધા સનાતની છે. જો કોઈ જાતે આવવા માંગે તો અમે ના પાડી શકીએ નહી. 

બીજી તરફ જે લોકો પોતાને હિંદુ બોલવાની ના પાડી રહ્યા છે તેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જો કોઈ પુત્ર પિતાને પોતાની વાત કહેવા માંગતો નથી તો તેમાં પિતાનો શું વાંક છે, તે પુત્રનો વાંક છે. એમાં સનાતનનો દોષ નથી, તેમની ભૂલ છે જેઓ ભૂલી ગયા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget