શોધખોળ કરો

Dhanteras 2023: આજે ધનતેરસ, જાણો ધનલક્ષ્મીની પૂજા અને ખરીદી માટેનો શુભ સમય

Dhanteras 2023: આ શુભ દિવસે લોકો વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે અને ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે

Dhanteras 2023: ધનતેરસ એ હિંદુઓના સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે, જે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે અને ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. તેઓ તેમના ઘરની બહાર દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસ આજે એટલે કે 10 નવેમ્બરે ઉજવવામાં આવી રહી છે. ધનતેરસના દિવસે નવા વાસણો, સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે.

ધનતેરસ 2023 શુભ મુહૂર્ત

ઉદયતિથિ અનુસાર 10 નવેમ્બર એટલે કે આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે ધનતેરસની ત્રયોદશી તિથિ 10 નવેમ્બર એટલે કે આજે બપોરે 12.35 કલાકે શરૂ થઈ રહી છે અને આ તિથિ 11મી નવેમ્બરે એટલે કે આવતીકાલે બપોરે 1.57 કલાકે પૂરી થશે.

 ધનતેરસ 2023 પૂજાનો સમય

આજે ધનતેરસની પૂજાનો સમય સાંજે 5:47 થી 7:43 સુધીનો રહેશે. જેનો સમયગાળો 1 કલાક 56 મિનિટનો રહેશે.

પ્રદોષ કાલ- સાંજે 05:30 થી શરૂ થઈને 08:08 સુધી ચાલુ રહેશે.

ખરીદી માટે શુભ મુહૂર્ત

અભિજીત મુહૂર્ત- 10મી નવેમ્બર એટલે કે આજે ધનતેરસના દિવસે સવારે 11.43 થી 12.26 સુધી. આ સૌથી શુભ મુહૂર્ત છે.

શુભ ચોઘડિયા- ખરીદી માટેનો બીજો સમય સવારે 11.59 થી બપોરે 1.22 સુધીનો છે. ખરીદી માટેનો ત્રીજો શુભ સમય આજે સાંજે 4.07 થી 5:30 સુધીનો રહેશે.

ધનતેરસ પૂજનવિધિ

ધનતેરસના દિવસે સાંજે ઉત્તર દિશા તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરવી જોઈએ. બંનેની સામે એક-એક મુખવાળો ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાન કુબેરને સફેદ મીઠાઈ અને ધન્વંતરીને પીળી મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન "ધન્વંતરી સ્તોત્ર" નો પાઠ કરો. પૂજા પછી કુબેરને ધન સ્થાન પર અને ધન્વંતરીને દિવાળી પર પૂજા સ્થાન પર સ્થાપિત કરો.

ધનતેરસ પર દીવાનું દાન કરવાનું મહત્વ

ધનતેરસના દિવસે દીવાનું દાન કરવામાં આવે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે જે ઘરમાં યમરાજને દીવો દાન કરવામાં આવે છે ત્યાં અકાળે મૃત્યુ નથી થતું. ધનતેરસની સાંજે મુખ્ય દ્વાર પર 13 દીવા પ્રગટાવવા જોઈએ અને ઘરની અંદર પણ 13 દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે રાત્રે સૂતા પહેલા મુખ્ય દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવાને પ્રગટાવવા માટે જૂના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દીવો ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને પ્રગટાવવો જોઈએ. વાસ્તવમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં દીવો પ્રગટાવવાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

ધનતેરસની પૌરાણિક કથા

એક દંતકથા અનુસાર, કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ જ્યારે ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો ઘડો હતો. ભગવાન ધન્વંતરિ કળશ સાથે પ્રગટ થયા હતા. કહેવાય છે કે ત્યારથી ધનતેરસની ઉજવણી થવા લાગી. ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે તે સારા નસીબ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral

વિડિઓઝ

Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય
Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Embed widget