શોધખોળ કરો

ગણપતિ વિસર્જનને લઈ લોકોમાં અલગ-અલગ માન્યતા, જાણો કેમ કરાય છે વિસર્જન  

ગણેશ વિસર્જન એ ગણેશ ઉત્સવનું અભિન્ન અંગ છે, જેના વિના ગણેશ ઉત્સવ પૂર્ણ થતો નથી. આ અંતર્ગત ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.

ગણેશ વિસર્જન એ ગણેશ ઉત્સવનું અભિન્ન અંગ છે, જેના વિના ગણેશ ઉત્સવ પૂર્ણ થતો નથી. આ અંતર્ગત ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે આ ગણેશ ઉત્સવ સમાન ગણેશ મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થાય છે.

ગણેશ ચતુર્થી વિશે જે કોઈ જાણે છે, લગભગ દરેક વ્યક્તિ એ પણ જાણે છે કે ગણેશ ચતુર્થી પર સ્થાપિત ગણપતિની મૂર્તિનું વિસર્જન પણ અગિયારશના દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે વહેતી નદી, તળાવ અથવા સમુદ્રમાં કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ગણપતિ વિસર્જન શા માટે કરવામાં આવે છે. ગણપતિ વિસર્જનને લઈને વિવિધ લોકો અને રાજ્યોમાં જુદી જુદી માન્યતાઓ છે, જેમાંથી કેટલીક અહીં સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અનંત ચતુર્દશી ગણેશ વિસર્જન મંગળવાર  17મી સપ્ટેમ્બર 2024 
ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત
સવારના મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - 09:05 થી 13:40
બપોરના મુહૂર્ત (શુભ) - 15:11 થી 16:43
સાંજના મુહૂર્ત (લાભ) - 19:43 થી 21:11
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - 22:40 થી 03:05, = 18, સપ્ટેમ્બર
ચતુર્દશી તિથિ પ્રારંભ 16 સપ્ટેમ્બર 2024 ના રોજ 15:10 કલાકે 
ચતુર્દશી તિથિ સમાપ્ત -17 સપ્ટેમ્બર 2024ના રાત્રે 11:44 વાગ્યે

હિંદુ ધર્મ અનુસાર, ભગવાન સગુણ સાકાર પણ છે અને નિર્ગુણ નિરાકાર પણ અને આ સંસાર પણ બે ભાગોમાં વહેંચાયેલું છે, જેને દેવ લોક અને ભૂ લોક તરીકે ઓળખાય છે. બધા દેવતાઓ દેવલોકમાં રહે છે. 

દેવલોકના તમામ દેવી-દેવતાઓ નિર્ગુણ નિરાકાર છે, જ્યારે આપણે પૃથ્વીના રહેવાસીઓને સમયાંતરે વિવિધ પ્રકારની ભૌતિક વસ્તુઓ અને સુખ-સુવિધાઓની જરૂર પડે છે, જે ફક્ત દેવલોકના દેવો જ આપણને પ્રદાન કરે છે અને કારણ કે દેવલોકના દેવતાઓ દેવલોક નિર્ગુણ નિરાકાર છે, તેથી તેઓ આપણી પૃથ્વીવાસીઓની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી સિવાય કે આપણી ઈચ્છાઓ તેમના સુધી પહોંચે અને ભગવાન ગણપતિ આપણી ભૌતિક ઈચ્છાઓને પૃથ્વી પરથી સ્વર્ગમાં લઈ જવાનું કામ કરે છે.

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને નિરાકાર ભગવાન ગણેશને દેવલોકથી પૃથ્વી પર સગુણ સાકાર સ્વરૂપમાં સ્થાપિત કરવા માટે વિવિધ પ્રકારની પૂજા-અર્ચના આરાધના, પાઠ કરતા આહ્વાન કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે ભગવાના ગણપતિ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી સગુણ સાકાર રુપમાં આ મૂર્તિમાં  સ્થાપિત રહે છે, જેને ગણપતિ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

એવી માન્યતા છે કે આ ગણપતિ ઉત્સવ દરમિયાન  લોકો જે પણ ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગે છે, તે ભગવાન ગણપતિના કાનમાં પોતાની ઈચ્છાઓ કહે છે. પછી ભગવાન ગણપતિની આ મૂર્તિને અનંત ચતુર્દશીના દિવસે વહેતા પાણી, નદી, તળાવ અથવા સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે જેથી કરીને આ પૃથ્વીની સગુણ ભૌતિક મૂર્તિમાંથી મુક્ત થયેલા ભગવાન ગણપતિ નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં દેવલોકમાં જઈ શકે. દેવલોકના જુદા જુદા ભાગોમાં જઈને પૃથ્વીવાસીઓ દ્વારા દેવતાઓને કરેલી પ્રાર્થના કહી શકે છે, જેથી દેવતાઓ પૃથ્વીવાસીઓની ઈચ્છાઓ પૂરી કરી શકે, જે  ભગવાન ગણેશની મૂર્તિના કાનમાં પૃથ્વીના લોકોએ કહી હતી.

આ ઉપરાંત, ધાર્મિક ગ્રંથો અનુસાર, એક અન્ય માન્યતા છે કે શ્રી વેદ વ્યાસજીએ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્થી સુધી સતત 10 દિવસ સુધી ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવી હતી. જ્યારે વેદ વ્યાસજી આ વાર્તા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમની આંખો બંધ હતી, તેથી તેમને ખ્યાલ નહોતો કે કથા સાંભળવાની ગણેશજી પર શું અસર થઈ રહી છે.

કથા પૂરી કર્યા પછી વેદ વ્યાસજીએ જ્યારે આંખ ખોલી ત્યારે તેમણે જોયું કે સતત 10 દિવસ સુધી કથા એટલે કે જ્ઞાનના શબ્દો સાંભળ્યા બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે, બીજા શબ્દોમાં કહીએ તો તેમને તાવ આવ્યો છે. તેથી તરત જ વેદ વ્યાસ જી ગણેશજીને નજીકના તળાવમાં લઈ ગયા અને તેમને ડૂબકી મારવા માટે કહ્યું, જેનાથી તેમના શરીરનું તાપમાન ઘટી ગયું.

તેથી, એવું માનવામાં આવે છે કે ગણેશ સ્થાપના પછીના 10 દિવસ સુધી ભગવાન ગણપતિ લોકોની ઇચ્છા સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે ચતુર્દશીના દિવસે તેમને વહેતા પાણી, તળાવ અથવા સમુદ્રમાં વિસર્જિત કરી ઠંડા કરવામાં આવે છે.

આ સિવાય બીજી એક માન્યતા એવી છે કે વાસ્તવમાં આખી સૃષ્ટિ પાણીમાંથી ઉત્પન્ન થઈ છે અને પાણી, બુદ્ધિનું પ્રતિક છે અને ભગવાન ગણપતિ બુદ્ધિના સ્વામી છે. જ્યારે ભગવાન ગણપતિની મૂર્તિ નદીઓની માટીમાંથી બનાવવામાં આવે છે. તેથી, અનંત ચતુર્દશીના દિવસે, ભગવાન ગણપતિની મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે કારણ કે તે પાણીના કાંઠાની નજીકની માટીથી બનેલી છે અને પાણી જ ભગવાન ગણપતિનું નિવાસ સ્થાન  છે.

ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોરયા નામની પાછળ ગણપતિજીના મયુરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર, સિંધુ નામના રાક્ષસના અત્યાચારોથી બચાવવા માટે દેવતાઓએ ભગવાન ગણપતિનું આહ્વાન કર્યું હતું. સિંધુને મારવા માટે, ભગવાન ગણેશએ પોતાના વાહન તરીકે મયુર (મોર) ને પસંદ કર્યો અને છ હાથ સાથે અવતાર ધારણ કર્યો. ભક્તો "ગણપતિ બાપ્પા મોરયા" ના નારા સાથે આ અવતારની પૂજા કરે છે, અને તેથી જ જ્યારે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે "ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ જલ્દી આના " ના નારા લગાવવામાં આવે છે.

मूषिकवाहन मोदकहस्त, चामरकर्ण विलम्बितसूत्र ।
वामनरूप महेस्वरपुत्र, विघ्नविनायक पाद नमस्ते ॥ 

આ લેખ તુષાર જોષી, ઓસ્ટ્રેલૉજર, રાજકોટ દ્વારા લખવામાં આવ્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget