શોધખોળ કરો

ગણપતિ વિસર્જનને લઈ લોકોમાં અલગ-અલગ માન્યતા, જાણો કેમ કરાય છે વિસર્જન  

ગણેશ વિસર્જન એ ગણેશ ઉત્સવનું અભિન્ન અંગ છે, જેના વિના ગણેશ ઉત્સવ પૂર્ણ થતો નથી. આ અંતર્ગત ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.

ગણેશ વિસર્જન એ ગણેશ ઉત્સવનું અભિન્ન અંગ છે, જેના વિના ગણેશ ઉત્સવ પૂર્ણ થતો નથી. આ અંતર્ગત ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે આ ગણેશ ઉત્સવ સમાન ગણેશ મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થાય છે.

ગણેશ ચતુર્થી વિશે જે કોઈ જાણે છે, લગભગ દરેક વ્યક્તિ એ પણ જાણે છે કે ગણેશ ચતુર્થી પર સ્થાપિત ગણપતિની મૂર્તિનું વિસર્જન પણ અગિયારશના દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે વહેતી નદી, તળાવ અથવા સમુદ્રમાં કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ગણપતિ વિસર્જન શા માટે કરવામાં આવે છે. ગણપતિ વિસર્જનને લઈને વિવિધ લોકો અને રાજ્યોમાં જુદી જુદી માન્યતાઓ છે, જેમાંથી કેટલીક અહીં સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અનંત ચતુર્દશી ગણેશ વિસર્જન મંગળવાર  17મી સપ્ટેમ્બર 2024 
ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત
સવારના મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - 09:05 થી 13:40
બપોરના મુહૂર્ત (શુભ) - 15:11 થી 16:43
સાંજના મુહૂર્ત (લાભ) - 19:43 થી 21:11
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - 22:40 થી 03:05, = 18, સપ્ટેમ્બર
ચતુર્દશી તિથિ પ્રારંભ 16 સપ્ટેમ્બર 2024 ના રોજ 15:10 કલાકે 
ચતુર્દશી તિથિ સમાપ્ત -17 સપ્ટેમ્બર 2024ના રાત્રે 11:44 વાગ્યે

હિંદુ ધર્મ અનુસાર, ભગવાન સગુણ સાકાર પણ છે અને નિર્ગુણ નિરાકાર પણ અને આ સંસાર પણ બે ભાગોમાં વહેંચાયેલું છે, જેને દેવ લોક અને ભૂ લોક તરીકે ઓળખાય છે. બધા દેવતાઓ દેવલોકમાં રહે છે. 

દેવલોકના તમામ દેવી-દેવતાઓ નિર્ગુણ નિરાકાર છે, જ્યારે આપણે પૃથ્વીના રહેવાસીઓને સમયાંતરે વિવિધ પ્રકારની ભૌતિક વસ્તુઓ અને સુખ-સુવિધાઓની જરૂર પડે છે, જે ફક્ત દેવલોકના દેવો જ આપણને પ્રદાન કરે છે અને કારણ કે દેવલોકના દેવતાઓ દેવલોક નિર્ગુણ નિરાકાર છે, તેથી તેઓ આપણી પૃથ્વીવાસીઓની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી સિવાય કે આપણી ઈચ્છાઓ તેમના સુધી પહોંચે અને ભગવાન ગણપતિ આપણી ભૌતિક ઈચ્છાઓને પૃથ્વી પરથી સ્વર્ગમાં લઈ જવાનું કામ કરે છે.

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને નિરાકાર ભગવાન ગણેશને દેવલોકથી પૃથ્વી પર સગુણ સાકાર સ્વરૂપમાં સ્થાપિત કરવા માટે વિવિધ પ્રકારની પૂજા-અર્ચના આરાધના, પાઠ કરતા આહ્વાન કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે ભગવાના ગણપતિ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી સગુણ સાકાર રુપમાં આ મૂર્તિમાં  સ્થાપિત રહે છે, જેને ગણપતિ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

એવી માન્યતા છે કે આ ગણપતિ ઉત્સવ દરમિયાન  લોકો જે પણ ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગે છે, તે ભગવાન ગણપતિના કાનમાં પોતાની ઈચ્છાઓ કહે છે. પછી ભગવાન ગણપતિની આ મૂર્તિને અનંત ચતુર્દશીના દિવસે વહેતા પાણી, નદી, તળાવ અથવા સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે જેથી કરીને આ પૃથ્વીની સગુણ ભૌતિક મૂર્તિમાંથી મુક્ત થયેલા ભગવાન ગણપતિ નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં દેવલોકમાં જઈ શકે. દેવલોકના જુદા જુદા ભાગોમાં જઈને પૃથ્વીવાસીઓ દ્વારા દેવતાઓને કરેલી પ્રાર્થના કહી શકે છે, જેથી દેવતાઓ પૃથ્વીવાસીઓની ઈચ્છાઓ પૂરી કરી શકે, જે  ભગવાન ગણેશની મૂર્તિના કાનમાં પૃથ્વીના લોકોએ કહી હતી.

આ ઉપરાંત, ધાર્મિક ગ્રંથો અનુસાર, એક અન્ય માન્યતા છે કે શ્રી વેદ વ્યાસજીએ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્થી સુધી સતત 10 દિવસ સુધી ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવી હતી. જ્યારે વેદ વ્યાસજી આ વાર્તા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમની આંખો બંધ હતી, તેથી તેમને ખ્યાલ નહોતો કે કથા સાંભળવાની ગણેશજી પર શું અસર થઈ રહી છે.

કથા પૂરી કર્યા પછી વેદ વ્યાસજીએ જ્યારે આંખ ખોલી ત્યારે તેમણે જોયું કે સતત 10 દિવસ સુધી કથા એટલે કે જ્ઞાનના શબ્દો સાંભળ્યા બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે, બીજા શબ્દોમાં કહીએ તો તેમને તાવ આવ્યો છે. તેથી તરત જ વેદ વ્યાસ જી ગણેશજીને નજીકના તળાવમાં લઈ ગયા અને તેમને ડૂબકી મારવા માટે કહ્યું, જેનાથી તેમના શરીરનું તાપમાન ઘટી ગયું.

તેથી, એવું માનવામાં આવે છે કે ગણેશ સ્થાપના પછીના 10 દિવસ સુધી ભગવાન ગણપતિ લોકોની ઇચ્છા સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે ચતુર્દશીના દિવસે તેમને વહેતા પાણી, તળાવ અથવા સમુદ્રમાં વિસર્જિત કરી ઠંડા કરવામાં આવે છે.

આ સિવાય બીજી એક માન્યતા એવી છે કે વાસ્તવમાં આખી સૃષ્ટિ પાણીમાંથી ઉત્પન્ન થઈ છે અને પાણી, બુદ્ધિનું પ્રતિક છે અને ભગવાન ગણપતિ બુદ્ધિના સ્વામી છે. જ્યારે ભગવાન ગણપતિની મૂર્તિ નદીઓની માટીમાંથી બનાવવામાં આવે છે. તેથી, અનંત ચતુર્દશીના દિવસે, ભગવાન ગણપતિની મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે કારણ કે તે પાણીના કાંઠાની નજીકની માટીથી બનેલી છે અને પાણી જ ભગવાન ગણપતિનું નિવાસ સ્થાન  છે.

ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોરયા નામની પાછળ ગણપતિજીના મયુરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર, સિંધુ નામના રાક્ષસના અત્યાચારોથી બચાવવા માટે દેવતાઓએ ભગવાન ગણપતિનું આહ્વાન કર્યું હતું. સિંધુને મારવા માટે, ભગવાન ગણેશએ પોતાના વાહન તરીકે મયુર (મોર) ને પસંદ કર્યો અને છ હાથ સાથે અવતાર ધારણ કર્યો. ભક્તો "ગણપતિ બાપ્પા મોરયા" ના નારા સાથે આ અવતારની પૂજા કરે છે, અને તેથી જ જ્યારે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે "ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ જલ્દી આના " ના નારા લગાવવામાં આવે છે.

मूषिकवाहन मोदकहस्त, चामरकर्ण विलम्बितसूत्र ।
वामनरूप महेस्वरपुत्र, विघ्नविनायक पाद नमस्ते ॥ 

આ લેખ તુષાર જોષી, ઓસ્ટ્રેલૉજર, રાજકોટ દ્વારા લખવામાં આવ્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget