શોધખોળ કરો

ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન

આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે.  આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન છે.

આણંદ:  આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે.  આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન છે. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન થયું છે.  તેઓ બે ટર્મથી ધારાસભ્ય છે.  ગોવિંદભાઈ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા. અનેક સામાજીક કાર્યોમાં  પણ  સક્રિય હતા. તેમના નિધનથી ભાજપમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

નિધનના સમાચાર મળતા ભાજપા નેતાઓ અને અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.  ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. 

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને ગોવિંદભાઈ પરમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

તેઓ એક ટર્મ અપક્ષ તરીકે ધારાસભ્ય રહેલા 2 ટર્મ ભાજપમાંથી જીત્યા હતા.  શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી હતા.  ત્યારબાદ ભાજપમાં વિધિવત 2017 માં જોડાયા હતા. ભાજપે  ટિકિટ આપતા તેઓ જીત્યા અને પુનઃ ભાજપે  2022 માં ટિકિટ આપી તેઓ  જીત્યા હતા. 

હૃદયરોગનો હુમલો આવ્યો

ગોવિંદભાઈ પરમારને વહેલી સવારે અચાનક તબિયત બગડતાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે આણંદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગોવિંદભાઈ પરમાર હાલ 15મી ગુજરાત વિધાનસભામાં ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય હતા. 

ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા હતા

રાજકારણમાં ગોવિંદભાઈ પરમારે લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા હતા. તેઓ પોતાના સરળ સ્વભાવ અને   સામાજીક કાર્યો માટે જાણીતા હતા. પોતાના વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં રહેતા અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસ કરતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
મેઘરાજાની તોફાની બેટિંગ: 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
મેઘરાજાની તોફાની બેટિંગ: 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
Embed widget