શોધખોળ કરો

Govardhan Puja 2022: અન્નકૂટ ઉત્સવ તરીકે પણ ઓળખાય છે ગોવર્ધન પૂજા, જાણો ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કથા

Annakut Utsav: આ દિવસને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજાનું મહત્વ છે. આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ લગાવવામાં આવે છે.

Govardhan Puja Importance: ગોવર્ધન પૂજાના દિવસને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજાનું મહત્વ છે. આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ લગાવવામાં આવે છે. આ ઉપરાંત અનેક પરંપરા પણ આ તહેવાર સાથે જોડાયેલી છે. પૌરાણિક કથા મુજબ ગોવર્ધન પૂજા ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. શ્રીકૃષ્ણએ ઈંદ્રદેવના પ્રકોપથી ગોકુલવાસીઓને બચાવવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો હતો. તેનાથી તમામ ગોકુલવાસીઓની રક્ષા થઈ અને ઈન્દ્રનો ઘમંડ તૂટ્યો હતો. ત્યારથી આ દિવસને ગોવર્ધન પૂજા તરીકે મનાવવાની પરંપરા ચાલી આવે છે.

ગોવર્ધન પૂજા વિધિ

 
  • સવારે વહેલા ઉઠીને શરીર પર તેલનું માલિશ કર્યા બાદ સ્નાન કરવું જોઈએ. જે બાદ ઘરના મુખ્ય દરવાજે છાણાથી પ્રતીકાત્મકત ગોવર્ધન પર્વત બનાવો અને તેની વચ્ચે કે નજીકમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો.
  • જે બાદ ગોવર્ધન પર્વત અને ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારના પકવાન અને મીઠાઈનો ભોગ લગાવો.
  • આ ઉપરાંત આ દિવસે દેવરાજ ઈંદ્ર, વરુણ, અગ્નિ અને રાજા બલિની પણ પૂજા કરો. જે બાદ કથા સાંભલો અને આસપાસના લોકોને સંભળાવો. પ્રસાદ તરીકે દહી-ખાંડનું મિશ્રણ વહેંચો.
  • પૂજા અને ભોગ બાદ કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીને દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરો. એટલું જ નહીં આ દિવસે ગૌધનની પૂજાનું પણ માહાત્મ્ય છે.

આ કારણે કરવામાં આવે છે ગોવર્ધન પૂજા

એક વખત ગામ લોકોને ઈંદ્ર દેવની પૂજા કરતા જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ તેનું કારણ પૂછ્યું. ત્યારે ગામ લોકોએ બતાવ્યું કે, ઈંદ્ર દેવ વરસાદ વરસાવે છે, જેનાથી અન્ન પેદા થાય છે અને અમારું ભરણ પોષણ થાય છે. ગામ લોકોને આમ કરતાં જોઈ શ્રીકૃષ્ણએ કહ્યું, ઈંદ્ર દેવથી વધારે શક્તિશાળી આપણો ગોવર્ધન પર્વત છે. તેના કારણે વરસાદ થાય છે અને આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. શ્રીકૃષ્ણની વાત સાંભળી ગ્રામજનો ગોવર્ધનની પૂજા કરવા લાગ્યા. ગામ લોકોની પર્વત પૂજા જોઈને ઈંદ્ર દેવ કોપાયમાન થયા અને મૂશળધાર વરસાદ વરસાવ્યો. ઈંદ્રના પ્રકોપથી ડરીને લોકો શ્રીકૃષ્ણના શરણમાં આવ્યા. તે સમયે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઉંચકીને સાત દિવસ સુધી ધારણ કરીને ગોકુલવાસીઓની રક્ષા કરી. શ્રીકૃષ્ણની લીલા જોઈને ઈંદ્રદેવ પણ આશ્ચર્ય ચકિત રહી ગયા. જે બાદ આવીને તેમણે શ્રીકૃષ્ણની ક્ષમા માંગી, તે સમયથી આ તહેવાર દર વર્ષે દિવાળીના પછીના દિવસે મનાવવામાં આવે છે.


Govardhan Puja 2022: અન્નકૂટ ઉત્સવ તરીકે પણ ઓળખાય છે ગોવર્ધન પૂજા, જાણો ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કથા

શ્રીકૃષ્ણએ આપી આ ઘટનાથી સીખ

ઘટનાના માધ્યમથી શ્રીકૃષ્ણએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર વધારવામાં બે પક્ષોનો હાથ હોય છે. એક કર્તવ્યનું પાલન કરવા માટે અનુચિત લાભની માંગ કરે છે, જ્યારે બીજા આવી કોઈ માંગ પર વિચાર અને વિરોધને લાભ પહોંચાડવાનું કામ કરે છે. ઈંદ્ર દેવ મેઘના રાજા છે, પરંતુ વર્ષા કરવી તેમનું કર્તવ્ય છે. વરસાદ માટે તેમની પૂજા કરવી કે યજ્ઞ કરવો ઉચિત નથી. શ્રીકૃષ્ણ અનુસાર અયોગ્ય માંગનો વિરોધ કરવો જરૂરી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget