શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં આ જગ્યાએ રાખો મોરપીંછ, પરિવાર પર થશે ખુશીઓનો વરસાદ

Vastu Dosh: મોરપીંછનું માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. મોરપીંછના ઉપાયો દ્વારા ઘરમાં રહેલા વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે.

Vastu Dosh:  શાસ્ત્રો અનુસાર માનવ જીવનમાં પ્રકૃતિ અને તેનાથી સંબંધિત વસ્તુઓની પૂજાનું વિશેષ મહત્વ છે. કુદરતને સર્વોચ્ચ સ્થાન આપવાનું, તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેની પૂજા કરવાનું મહત્વ ખુદ દેવી-દેવતાઓએ સમજાવ્યું છે. પ્રકૃતિ સાથે જોડાયેલી કેટલીક શુભ વસ્તુઓ દેવી-દેવતાઓ પોતે ધારણ કરે છે અને આ વસ્તુઓની નિકટતા માનવ જીવન માટે પણ ખૂબ જ શુભ કહેવાય છે.

મોરપીંછ શ્રી કૃષ્ણને પ્રિય છે 

  • પ્રકૃતિ સાથે જોડાયેલી આવી જ એક વસ્તુ ભગવાન કૃષ્ણને પ્રિય છે અને તેઓ પોતે પણ તેને ધારણ કરે છે.
  • યદુકુળના શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ તેમના માથા પર મોરપીંછ ધારણ કરે છે અને મોરપીંછ તેમના જીવનનો અભિન્ન અંગ છે, પરંતુ તમે મોરના પીંછાને તમારા જીવનનો એક ભાગ બનાવીને ખુશ રહી શકો છો.
  • મોરપીંછને ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. ઘરના વાસ્તુ દોષ દૂર થઈ શકે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને સંપત્તિ આવી શકે છે.

મોરપીંછ દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવે છે

ઘરમાં તમારા પૂજા ખંડમાં બે મોરપીંછ એક સાથે રાખવાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને સંબંધોમાં મધુરતા આવે છે, જો ઘરમાં પ્રકૃતિના પાંચ તત્વોનું પ્રમાણ બરાબર ન હોય અને ઘરમાં નકારાત્મક ઉર્જા વહેતી હોય તો પૂજા સ્થળ પર 5 મોરપીંછ રાખો. આ કામથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાથી ઘર ખુશહાલ બને છે.

મોરપીંછ વાસ્તુ દોષને પણ દૂર કરે છે. જો તમારા ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ જેવા શુભ કોણ કે દિશામાં ન હોય અથવા મુખ્ય પ્રવેશદ્વાર પર અન્ય કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો મુખ્ય પ્રવેશદ્વારની ફ્રેમ પર બેઠેલી મુદ્રાવાળા ભગવાન ગણેશને સ્થાપિત કરો અને તેના પર ત્રણ મોરપીંછ રાખો.

આ કાર્ય દ્વારા મુખ્ય પ્રવેશદ્વારના વાસ્તુ દોષોની અસર નોંધપાત્ર રીતે ઓછી થાય છે. કોઈપણ મહિનાના શુક્લ પક્ષમાં પૂજા સ્થાન પર 7 કે 9 મોરપીંછથી બનેલો ગોળ પંખો રાખો અને એક અઠવાડિયા પછી તેને બેડરૂમમાં પલંગની પાછળની દિવાલ પર લગાવો. આ ઉપાયથી પારિવારિક જીવન વધુ સુખી બનશે.

મોરપંખ બીમારીમાં પણ કારગર છે

મોરપીંછ રોગોનો સામનો કરવામાં પણ ખૂબ અસરકારક છે. જો તમામ ઉપાયો કર્યા પછી પણ રોગ તમને છોડતો નથી, તો રોગ સંબંધિત કાગળોની વચ્ચે એક મોરપીંછ મૂકો. સારા પરિણામો ટૂંક સમયમાં દેખાશે.

ઘરના ડ્રોઈંગ રૂમ અથવા ડાઈનિંગ રૂમમાં 11, 15 કે તેથી વધુ મોરનપીંછ એકસાથે રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સુમેળ વધે છે અને સ્નેહ જળવાઈ રહે છે. મોરપીંછ ઘરનું સ્વચ્છ અને સારું વાતાવરણ પ્રદાન કરવામાં પણ મદદરૂપ છે. જ્યાં મોરપીંછ લગાવવામાં આવે છે તેની આસપાસ કોઈ જંતુઓ નથી આવતા.

પૈસાની સમસ્યા દૂર કરવા માટે શુક્લ પક્ષ દરમિયાન દક્ષિણ-પૂર્વ ખૂણામાં ઓછામાં ઓછા 5 ફૂટની ઊંચાઈએ બે મોરપીંછ લગાવો, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. મોરપીંછ અંગે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. ઘરમાં ક્યારેય તૂટેલા મોરપીંછનો ઉપયોગ ન કરો, તે યોગ્ય પરિણામ નહીં આપે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
Embed widget