શોધખોળ કરો

Vastu Tips: નવું ઘર બનાવતા અથવા ખરીદતા સમયે રાખો આ બાબતોનું ધ્યાન, ઘરમાં રહેશે સુખ અને સમૃદ્ધિ

Vastu Tips:તમારા ઘરની ડિઝાઇન વાસ્તુશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતો અનુસાર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે

Vastu Tips: નવું ઘર બનાવવું કે ખરીદવું એ વ્યક્તિ માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. કારણ કે દરેક વ્યક્તિ આ સપનું જુએ છે. પરંતુ થોડા જ લોકો એવા હોય છે જે પોતાની મહેનત પર નવા ઘરનું સપનું સાકાર કરે છે.                    

પરંતુ નવું ઘર ખરીદતી વખતે અથવા બનાવતી વખતે તમારા ઘરની ડિઝાઇન વાસ્તુશાસ્ત્રના નિયમો  અને સિદ્ધાંતો અનુસાર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દિશા, રંગ, ડિઝાઇન, કદ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખવાથી ઘર અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બને છે.                       

તેથી તે જરૂરી બની જાય છે કે ઘર બનાવતી વખતે અથવા ખરીદતી વખતે દરેક વ્યક્તિએ વાસ્તુશાસ્ત્રના મહત્વપૂર્ણ અને મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. ચાલો જાણીએ કે તમારા સપનાનું ઘર વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ કેવું હોવું જોઈએ.

રસોડા માટે વાસ્તુ ટિપ્સઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. રસોડું ક્યારેય દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ કે ઉત્તર તરફ ન બનાવવું જોઈએ.                   

મુખ્ય દ્વાર માટે વાસ્તુ ટિપ્સઃ ઘરના પ્રવેશદ્વારને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આના દ્વારા ઘરમાં નકારાત્મક કે સકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરે છે. તેથી પ્રવેશદ્વારની દિશા સાચી હોય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું. વાસ્તુ અનુસાર જો પ્રવેશદ્વાર ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં હોય તો તે શુભ માનવામાં આવે છે.

બેડરૂમ માટે વાસ્તુ ટિપ્સઃ જો બેડરૂમની દિશા યોગ્ય ન હોય તો વિવાહિત જીવનમાં હંમેશા તણાવ અને વિખવાદ રહે છે. વાસ્તુ અનુસાર બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ.

બાથરૂમ માટે વાસ્તુ ટિપ્સઃ જો ઘરનું બાથરૂમ યોગ્ય ન હોય તો નકારાત્મક ઊર્જાનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વધે છે. વાસ્તુ અનુસાર બાથરૂમ ઉત્તર-પશ્ચિમ ખૂણામાં બનાવવું જોઈએ અને બાથરૂમનું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ.

લિવિંગ રૂમ માટે વાસ્તુ ટિપ્સઃ લિવિંગ રૂમ પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં બનાવી શકાય છે. સકારાત્મકતા માટે, વાસ્તુ અનુસાર શોપીસ, વૃક્ષો, છોડ વગેરેથી લિવિંગ રૂમને સજાવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget