શોધખોળ કરો

પંચક 2026: બદલાતું હવામાન અને 'રોગ પંચક'નો ડબલ એટેક, શું આ કોઈ મોટા ખતરાનો સંકેત છે?

Rog Panchak 2026: 10 મેથી શરૂ થયેલા રોગ પંચક દરમિયાન બીમારીઓનું જોખમ વધશે, જ્યોતિષ પાસેથી જાણો આ સમયમાં શું કરવું અને શું ટાળવું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રોગ પંચક ૧૦ મે થી ૧૪ મે સુધી રહેશે.
  • રવિવારે શરૂ થતા પંચકને રોગ પંચક કહેવાય છે.
  • આ સમય સ્વાસ્થ્ય માટે સંવેદનશીલ, બીમારીઓ વધે.
  • તળેલો ખોરાક ટાળો, હળદર-તુલસી-ગરમ પાણી લો.

Rog Panchak 2026: અત્યારે એક તરફ હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ 10 મે, 2026થી 'રોગ પંચક' પણ બેસી ગયું છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી અને સાથે જ આ અશુભ પંચકનો સંયોગ લોકો માટે સ્વાસ્થ્યની નવી ચિંતાઓ ઊભી કરી રહ્યો છે. આ બંનેના ડબલ એટેકથી બચવા માટે લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ચાલો જાણીએ આ રોગ પંચક શું છે અને તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ વખતે રોગ પંચક 10 મેના રોજ બપોરે 12:08 વાગ્યે શરૂ થઈ ગયું છે અને તે 14 મેના રોજ રાત્રે 10:34 વાગ્યા સુધી ચાલશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં પ્રવેશ કરે છે અને પાંચ નક્ષત્રો (ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી)માંથી પસાર થાય છે, ત્યારે પંચક બેસે છે. શાસ્ત્રો મુજબ, જો પંચકની શરૂઆત રવિવારથી થાય, તો તેને 'રોગ પંચક' કહેવાય છે. આ 5 દિવસનો સમય સ્વાસ્થ્ય માટે ઘણો અશુભ અને ભારે માનવામાં આવે છે.

એક બાજુ રોગ પંચક ચાલી રહ્યું છે અને બીજી બાજુ હવામાન વિભાગ (IMD) એ પણ ગરમી વચ્ચે વરસાદની ચેતવણી આપી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, રોગ પંચક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સંવેદનશીલ સમય હોય છે. આવા ઝડપથી બદલાતા હવામાનમાં ઇન્ફેક્શન, સિઝનલ બીમારીઓ અને શારીરિક નબળાઈ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.

બુધ 23 મે સુધી રહેશે અસ્ત: આ 4 રાશિઓ માટે સમય છે ભારે, જાણો શું થશે અસર

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પંચકને ઉર્જામાં બદલાવનો સમય માનવામાં આવે છે. આ સમયગાળામાં મન અને શરીરનું બેલેન્સ જાળવી રાખવું બહુ જરૂરી છે. આ 5 દિવસો દરમિયાન નવું ઘર બાંધવાનું શરૂ કરવું, લગ્ન કે સગાઈ કરવા, નામકરણ વિધિ, ગૃહ પ્રવેશ, લાકડાં ભેગા કરવા કે પછી દક્ષિણ દિશામાં મુસાફરી કરવા જેવા કાર્યો કરવાનું ખાસ ટાળવું જોઈએ.

જાણીતા જ્યોતિષી અનિશ વ્યાસના જણાવ્યા અનુસાર, રોગ પંચક અને ખરાબ હવામાનથી બચવા માટે બહારનો વાસી કે વધારે પડતો તળેલો ખોરાક ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. રોજિંદા જીવનમાં હળદર, તુલસી અને નવશેકા (હૂંફાળા) પાણીનો નિયમિત ઉપયોગ કરવો. આ ઉપરાંત, માનસિક તણાવ દૂર કરવા માટે પૂજા-પાઠ અને ધ્યાન કરવું, તેમજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો આ સમયમાં ખૂબ જ ફળદાયી અને રક્ષણાત્મક માનવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર: ઘરમાં સોનું કેમ ટકતું નથી? જાણો આ 4 મુખ્ય કારણો અને બચવાના ઉપાયો

Frequently Asked Questions

રોગ પંચક શું છે અને તે ક્યારે બેઠું છે?

જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં પ્રવેશે છે અને પાંચ ચોક્કસ નક્ષત્રોમાંથી પસાર થાય છે, ત્યારે પંચક બેસે છે. આ વખતે રોગ પંચક 10 મે, 2026ના રોજ બપોરે 12:08 વાગ્યે શરૂ થયું છે.

રોગ પંચક કેટલા દિવસ ચાલશે?

આ રોગ પંચક 14 મે, 2026ના રોજ રાત્રે 10:34 વાગ્યા સુધી ચાલશે. આ 5 દિવસનો સમયગાળો સ્વાસ્થ્ય માટે સંવેદનશીલ માનવામાં આવે છે.

રોગ પંચક દરમિયાન કઈ બાબતો ટાળવી જોઈએ?

આ સમયગાળા દરમિયાન નવું ઘર બાંધવાનું શરૂ કરવું, લગ્ન કે સગાઈ કરવી, નામકરણ વિધિ, ગૃહ પ્રવેશ, લાકડાં ભેગા કરવા કે દક્ષિણ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

રોગ પંચક અને ખરાબ હવામાનથી બચવા શું કરવું જોઈએ?

બહારનો વાસી કે વધારે પડતો તળેલો ખોરાક ઓછો કરવો. હળદર, તુલસી અને નવશેકા પાણીનો નિયમિત ઉપયોગ કરવો. પૂજા-પાઠ, ધ્યાન અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget