Vastu Tips: ઘરમાં રહેલો આ આ વાસ્તુ દોષ તમારી કારકિર્દીને કરી દેશે બરબાદ, આજે જ આ રીતે કરો દૂર
Vastu Dosh:ઘરમાં હાજર વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ, અણઘારી મુશ્કેલી અને કરિયરમાં પણ વિધ્નો ઉભા કરે છે.
![Vastu Tips: ઘરમાં રહેલો આ આ વાસ્તુ દોષ તમારી કારકિર્દીને કરી દેશે બરબાદ, આજે જ આ રીતે કરો દૂર These dangerous vastu dosh in the home can be destroy your carier fixed immediately Vastu Tips: ઘરમાં રહેલો આ આ વાસ્તુ દોષ તમારી કારકિર્દીને કરી દેશે બરબાદ, આજે જ આ રીતે કરો દૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/15/f7e165bea49a3b5c753895e37bc76683_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vastu Dosh:ઘરમાં હાજર વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ, અણઘારી મુશ્કેલી અને કરિયરમાં પણ વિધ્નો ઉભા કરે છે.
ઘરમાં રહેલો વાસ્તુ દોષ લોકોના જીવન પર ખરાબ અસર કરે છે. ઘરની શાંતિમાં ખલેલ પહોંચાડે છે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે તે ઘરમાં કંકાશ, આર્થિક નુકસાન અને કરિયરમાં અવરોધો આવે છે. વાસ્તુ દોષ પરિવારના સભ્યોની કરિયર પર પણ ખરાબ અસર કરે છે. આટલું જ નહીં, આ દોષ ઓ જીવનમાં આગળ વધવાનો રસ્તો અવરોધે છે. તેમને સમયસર ઠીક કરવા વધુ સારું છે. નહીં તો તમારે જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ સર્જી શકે છે.
ઘરમાં મોજૂદ આ વાસ્તુ દોષથી સાવધાન રહો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશા સૌથી મહત્વપૂર્ણ છે. જો ઘરની ઉત્તર દિશાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે. બીજી તરફ જો ઘરની ઉત્તર દિશા વાસ્તુ દોષથી ભરેલી હોય તો નોકરી, ધંધો, પૈસાના આગમનમાં અવરોધો આવે છે. વાસ્તુ અનુસાર આ દિશામાં ટોયલેટ-વોશરૂમ, રસોડું બનાવવું પરેશાનીઓને આમંત્રણ આપવા સમાન છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે આ દિશાને ગંદી રાખવાથી ધન અને સંપત્તિનું નુકસાન થાય છે. તેમજ વાસ્તુ અનુસાર આ દિશામાં તૂટેલું કે ભારે ફર્નિચર ન રાખવું.
ઘડિયાળની દિશામાં પણ ધ્યાનમાં રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘડિયાળ મૂકતી વખતે પણ દિશા અને અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. ઘડિયાળને આ દિશામાં રાખવાથી સારી કારકિર્દી નષ્ટ થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિવાલમાં મૂકેલો અરીસો ઘરની સ્ત્રીઓને નુકસાન પહોંચાડે છે. ઘરની વહુ ક્યારેય ખુશ નથી રહેતી. દિવાલ ઘડિયાળ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને ધન-સંપત્તિનો વિકાસ થાય છે.
ઘરની બારીઓમાં ખામી
ઘરમાં બારી બનાવતી વખતે પણ વાસ્તુ દોષોનું ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે ઘરની દક્ષિણ દિશામાં બનેલી બારીઓ નકારાત્મક ઉર્જા લાવે છે. ઘરના લોકો બીમારીઓથી ઘેરાયેલા રહે છે અને ઝઘડા થાય છે. સાથે જ ઘરના બાળકો ભણવામાં પણ ઘણા પાછળ રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)