શોધખોળ કરો

Vastu Tips: આ જગ્યાએ ભૂલથી પણ ઘરમાં ન બનાવો, પૂજા સ્થાન, થશે આ વિપરિત અસર, પરેશાની ઘેરી વળશે

Vastu Tips for Mandir : વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં ઘણી સમસ્યાઓ આવે છે. જાણો કઈ જગ્યાએ મંદિર બનાવવાનું ટાળવું જોઈએ.

Vastu Tips for Mandir : વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં ઘણી સમસ્યાઓ આવે છે. જાણો કઈ જગ્યાએ મંદિર બનાવવાનું ટાળવું જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘરની વસ્તુઓમાં પણ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા હોય છે, જેની અસર ઘરના તમામ સભ્યો પર પડે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ ઘરનું નિર્માણ કઈ રીતે કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કયો રૂમ કઈ દિશામાં હોવો જોઈએ તેના ચોક્કસ નિયમો છે. ખાસ કરીને પૂજા ઘર બનાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. વાસ્તુ અનુસાર કેટલીક જગ્યાએ પૂજા ઘર ન બનાવવું જોઈએ કારણ કે તેનાથી પરિવારમાં એક પછી એક સમસ્યાઓ આવે છે.

ભૂલથી પણ આ સ્થાનો પર પૂજા ઘર ન બનાવો

વાસ્તુ અનુસાર ઘરનો પૂજા ખંડ ક્યારેય સીડીની નીચે ન બનાવવો જોઈએ. વાસ્તુમાં સીડીની નીચેનું સ્થાન અશુભ માનવામાં આવે છે. જો મંદિર સીડીની નીચે બને તો ઘરમાં હંમેશા ઝઘડો રહે છે. જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે હંમેશા મનદુઃખ રહે છે. આ કારણે માનસિક અશાંતિ પણ રહે છે.

ઘરમાં પૂજા રૂમને બાથરૂમની બાજુમાં ક્યારેય ન બનાવો. બાથરૂમની ઉપર કે નીચે પૂજાનું ઘર બનાવવાનું ટાળો. વાસ્તુના બાથરૂમના સંપર્કમાં પૂજા ઘર બનાવવું ખૂબ જ અશુદ્ધ માનવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેના કારણે ધનહાનિ પણ થાય છે.

વાસ્તુ અનુસાર ઘરનું મંદિર ક્યારેય ભોંયરામાં ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ફળ મળતું નથી. ભોંયરામાં અંધારું હોય છે અને અંધારાવાળી જગ્યાએ ક્યારેય પૂજા ઘર ન બનાવવું જોઈએ. પૂજા સ્થળ ખુલ્લું, સ્વચ્છ હવા ઉજાસવાળું હોવું જોઇએ..

બેડરૂમમાં પૂજા રૂમ ક્યારેય ન બનાવવો જોઈએ. જો મજબૂરી હોય તો બેડરૂમના ઉત્તર-પૂર્વમાં પૂજા સ્થળ બનાવો અને મંદિરની આસપાસ પડદા લગાવો. વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં સફેદ કે ક્રીમ રંગનો જ ઉપયોગ કરવો જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરની મૂર્તિઓ પણ યોગ્ય દિશામાં હોવી જોઈએ. ભગવાનનો ફોટો કે મૂર્તિ ક્યારેય નૈઋત્ય ખૂણામાં ન રાખવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા પરેશાનીઓ લાવે છે.

પૂજાના ઘરમાં ગણેશજી અને મા દુર્ગાની 3 મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ. આ સિવાય એક જ શિવલિંગ, શંખ, સૂર્ય ભગવાનની મૂર્તિ અને શાલિગ્રામ રાખવા જોઈએ બધું જ રાખવાથી મન અશાંત રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.