શોધખોળ કરો

Guru Pushya 2022:1500 વર્ષ બાદ ગુરૂપુષ્ય પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ,આ કામ આપશે અપાર સમૃદ્ધિ

Guru Pushya 2022: ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. 25મી ઓગસ્ટ 2022, ગુરુવારે 1500 વર્ષ પછી ગુરુ પુષ્ય યોગ પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.

Guru Pushya 2022: ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.  25મી ઓગસ્ટ 2022, ગુરુવારે 1500 વર્ષ પછી ગુરુ પુષ્ય યોગ પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.

જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે પુષ્ય નક્ષત્ર ગુરુવારે હોય ત્યારે તે વધુ શુભ માનવામાં આવે છે. આ સમયમાં ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આજે  25મી ઓગસ્ટ 2022, ગુરુવારે પુષ્ય નક્ષત્ર છે. આ સાથે અન્ય શુભ યોગો પણ આ અવસર પર રચાઈ રહ્યા છે. આવો દુર્લભ સંયોગ 1500 વર્ષ પછી બની રહ્યો છે. આ કારણે આ દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ છે.

ગુરુ પુષ્ય પર દુર્લભ સંયોગ

પંચાંગ અનુસાર, પુષ્ય નક્ષત્ર 24 ઓગસ્ટ, બુધવારે 01:38 થી 25 ઓગસ્ટ, ગુરુવાર સાંજ 04.50 સુધી રહેશે. આ દરમિયાન સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને વરિયાણ જેવા ખૂબ જ શુભ યોગ પણ બનશે. આ ઉપરાંત શુભ, વરિષ્ઠ, ભાસ્કર, ઉભયચારી, હર્ષ, સરલ અને વિમલ નામના રાજયોગો પણ રચાશે. આ સિવાય સૂર્ય પોતાની રાશિમાં સિંહ રાશિમાં, ચંદ્ર કર્કમાં, બુધ કન્યામાં અને શનિ મકર રાશિમાં રહેશે. આ મહત્વપૂર્ણ ગ્રહો પોતાની રાશિમાં રહેવા અને આ સમયગાળામાં ગુરુ પુષ્ય હોવાનો દુર્લભ સંયોગ દોઢ હજાર વર્ષથી બન્યો છે. આ કારણોસર તે ખરીદી માટે એક મહાન સંયોગ છે.

ગુરુ પુષ્યમાં આ શુભ કાર્ય કરો

ગુરુ પુષ્યના શુભ સંયોગમાં પ્રોપર્ટી-કાર ખરીદવી શુભ છે. આ સિવાય ઘરેણાં, કપડાં, તાંબા-પીળા વસ્ત્રની  ખરીદી પણ સારી રહેશે. ઘર-ઓફિસ ખોલવા, નવું કામ શરૂ કરવા અને લેવડ-દેવડ કરવા માટે આ સમય ખૂબ જ શુભ રહેશે.

ગણેશ ચતુર્થીના સ્થાપના શુભ મુહૂર્ત જાણો

Ganesh Sthapana 2022: ગણેશ ઉત્સવ 31મી ઓગસ્ટ 2022થી શરૂ થશે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના વિસર્જનનો શુભ સમય અને તારીખ  જાણીએ..

ગણેશ ઉત્સવ 31મી ઓગસ્ટ 2022થી શરૂ થશે.  અને તારીખ. 10 દિવસ સુધી એટલે કે 10 દિવસ આ ઉત્સવ ચાલશે.. ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર કરવામાં આવે છે. ઘરોમાં ટેબલ પણ બનાવવામાં આવી રહયાં  છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પા પોતાની દુનિયામાં પાછા ફરે છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના વિસર્જનનો શુભ સમય અને તારીખ.

ગણેશ ચતુર્થી 2022 સ્થાપના મૂહૂર્ત

ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી મંગળવાર, 30 ઓગસ્ટ, 2022ના રોજ બપોરે 3.33 વાગ્યાથી શરૂ થશે અને બુધવાર, 31 ઓગસ્ટ, 2022ના બીજા દિવસે બપોરે 3.22 વાગ્યે સમાપ્ત થશે.

  • સવારે 11.05 am - 1.38 pm (31 ઓગસ્ટ 2022)
  • વિજય મુહૂર્ત –- બપોરે 2.34 - 3.25 (31 ઓગસ્ટ 2022)
  • અમૃત કાલ મુહૂર્ત - સાંજે 5.42 - 7.20 (31 ઓગસ્ટ 2022)
  • સંધિકાળ મુહૂર્ત – સાંજે 6.36 - 7.00  (31મી ઓગસ્ટ 2022)
  • રવિ યોગ - 31 ઓગસ્ટ 2022, સવારે 06.06 - 1 સપ્ટેમ્બર 2022, સવારે 12.12 કલાકે
  • ગણેશ વિસર્જન તારીખ - 9 સપ્ટેમ્બર 2022 (અનંત ચતુર્દશી)

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
Aaj Nu Rashifal, કરિયર અને ધનના મામલે કઇ રાશિનો શુક્રવાર રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Aaj Nu Rashifal, કરિયર અને ધનના મામલે કઇ રાશિનો શુક્રવાર રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન

વિડિઓઝ

Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય
Junagadh Police : જૂનાગઢમાં મજાક-મસ્તીમાં મિત્રે જ કરી નાંખી મિત્રની હત્યા
Hun To Bolish : હું તો બોલીશ : મોતની રેસ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ આપતું હતું બોમ્બની ધમકી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ થયું, રડાર સાથે તૂટ્યો સંપર્ક 
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ થયું, રડાર સાથે તૂટ્યો સંપર્ક 
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
Embed widget