શોધખોળ કરો
હાર્દિકે ભાવનગરને ગણાવ્યું બિહારથી બદતર, ગણાવ્યા કોને જવાબદાર
1/5

રાજયમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઇ રહી હોવાનું અને પોલીસ શું કામગીરી કરી રહી છે તે પણ જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા દોષિતોને છોડવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપવામાં આવી છે.
2/5

પાસની કોર કમિટીના સભ્ય વરૂણ પટેલ અને દિનેશ બાંભણિયાએ ડીજીપીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 1૯ દિવસ પછી પણ આરોપીઓ પકડી શકાયા નથી તેથી રેન્જ આઇજીને તપાસ સોંપવા માગણી કરવામાં આવે છે. એસપીજીના પ્રમુખ લાલજીભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજય પોલીસવડા અને ગૃહરાજય મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અને સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યાનું યાદ કરાવાયું હતું અને જો આરોપીઓ નહીં પકડાય તો રાજયમાં આંદોલન શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
Published at : 21 Dec 2016 10:48 AM (IST)
View More























