'દેવી લક્ષ્મી ગરીબો અને મધ્યમ વર્ગ પર પોતાની કૃપા વરસાવે', કહીને PM મોદીએ બજેટ અગાઉ આપ્યા મોટા સંકેત
શું સરકાર બજેટમાં મધ્યમ વર્ગને કોઈ મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે.

Budget Expectations 2025: બજેટ સત્રના પહેલા દિવસે સંસદની બહાર પોતાના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે મોટી જાહેરાત થશે તેવા મોટા સંકેતો આપ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મધ્યમ વર્ગ અને ગરીબોનો ખાસ ઉલ્લેખ કર્યા પછી એવી અટકળો વહેતી થઈ ગઈ છે કે શું સરકાર બજેટમાં મધ્યમ વર્ગને કોઈ મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે.
#WATCH | #BudgetSession | PM Modi says, "I pray that Maa Lakshmi continues to bless the poor and middle class of our country. It is a matter of great pride that India completed 75 years as a democratic nation. India has established itself well on the global pedestal...This is the… pic.twitter.com/BF2dT2oTz9
— ANI (@ANI) January 31, 2025
દેવી લક્ષ્મી ગરીબ અને મધ્યમ વર્ગ પર પોતાની કૃપા વરસાવે
બજેટ સત્રના પહેલા દિવસે સંસદ પહોંચ્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, બજેટ સત્ર પહેલા હું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીને નમન કરું છું. હું દેવી લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે તેઓ ગરીબ અને મધ્યમ વર્ગ પર તેમની કૃપા વરસાવે. વડાપ્રધાને પોતાના ભાષણમાં ખાસ કરીને મધ્યમ વર્ગનો ઉલ્લેખ કર્યો છે તો શું બજેટમાં મધ્યમ વર્ગ માટે કર રાહતથી લઈને મોંઘવારી રાહત સુધીની મોટી જાહેરાતો કરી શકાય છે?
કરવેરાના ભારણથી મધ્યમ વર્ગ પરેશાન
વાસ્તવમાં સરકારના મોટા સમર્થકોએ કહ્યું છે કે મધ્યમ વર્ગ NDA સરકારથી નાખુશ છે તેથી વડા પ્રધાન અને નાણામંત્રીને માંગ કરવામાં આવી છે કે બજેટમાં મધ્યમ વર્ગના આવકવેરાના કરદાતાઓને રાહત આપવામાં આવે જેઓ લાંબા સમયથી પરેશાન છે. તાજેતરના વર્ષોમાં મધ્યમ વર્ગ પર કરનો બોજ વધ્યો છે. વ્યક્તિગત કર વસૂલાત 2020-21માં 4.87 લાખ કરોડ રૂપિયાથી વધીને 2023-24 માં 10.45 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે એટલે કે 3 વર્ષમાં તેમાં 114 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024-25માં વ્યક્તિઓના કર સંગ્રહમાં 22 ટકાનો વધારો થવાની ધારણા છે અને આ નાણાકીય વર્ષમાં તે 12.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
બજેટ 2025: શું સરકાર જૂની ટેક્સ વ્યવસ્થા નાબૂદ કરશે? કોને થશે સૌથી વધુ નુકસાન?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
