Budget 2024: IITમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે બજેટમાં મોટી જાહેરાત, જાણો કેટલી વધારાઇ સીટ?
Budget 2024:નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓની જાહેરાત કરી હતી

Education Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે IIT ની સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે. આ દ્વારા 6500 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. તેવી જ રીતે પટના આઈઆઈટીમાં હોસ્ટેલ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમણે 75000 MBBS બેઠકો વધારવાની પણ જાહેરાત કરી હતી. ગયા બજેટમાં પણ દેશમાં મેડિકલ કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ MBBS બેઠકોમાં વધારો કરવામાં આવ્યો હતો.
5 IIT માં બેઠકો વધશે
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં IITની ચર્ચા કરતા કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 23 IIT સંસ્થાઓની પ્રવેશ ક્ષમતા 65000થી વધારીને 1 લાખ 35 હજાર કરવામાં આવી છે. હવે દેશમાં 2014પછી શરૂ થયેલી 5 IIT માં 6500થી વધુ બેઠકો વધારવામાં આવશે. તેમણે બજેટમાં IIT પટનાના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પટના આઈઆઈટીની સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે.
ગયા બજેટમાં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (IGNOU), સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનું બજેટ પણ વધારવામાં આવ્યું હતું. જ્યારે 2024-2025માં IGNOUનું બજેટ 140 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું, તેવી જ રીતે સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરનું બજેટ 185.85 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું. KVS ને આપવામાં આવેલી રકમમાં 802 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તેથી KVS માટે 9,307 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું.
બજેટની ખાસ વાતો
- ભારતીય રમકડાં માટે સપોર્ટ સ્કીમ
- કિસાન ક્રેડિટ મર્યાદા 5 લાખ રૂપિયા છે. ખેડૂતોને સસ્તા વ્યાજે 5 લાખ રૂપિયાની લોન. કપાસના ખેડૂતો માટે પાંચ વર્ષનું પેકેજ.
- આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતો યુરિયા પ્લાન્ટ ખોલવામાં આવશે.
- કૃષિ યોજનાઓનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળે છે.
- કપાસ ઉત્પાદકતા માટે પાંચ વર્ષનું મિશન
- બિહારના ખેડૂતો માટે ખાસ જાહેરાત. કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભરતાનો લક્ષ્યાંક.
- મખાનાના ખેડૂતો માટે બજેટમાં જાહેરાત. મખાના બોર્ડની રચના કરવામાં આવશે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના ચલાવશે. આ યોજના 100 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. આ યોજના ઓછી ઉપજ આપતા વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે.
- ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે છ વર્ષના મિશનની જાહેરાત.
- ફળો અને શાકભાજી માટે એક વ્યાપક કાર્યક્રમની જાહેરાત.




















