શોધખોળ કરો
16 દિવસ સુધી પેટ્રોલમાં ભાવ વધાર્યા પછી માત્ર 1 પૈસાનો ઘટાડો
1/5

મંગળવારે અહેવાલ આવ્યા હતા કે સરકાર પેટ્રોલ ડીઝલની વધતી કિંમતથી પરેશાન લોકોને રાહત આપવા માટે એક નવી યોજના પર કામ કરી રહી છે. તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે પેટ્રોલ ડીઝલની વધતી કિંમત પર નિયંત્રણ લગાવવા માટે સરકાર હવે તેના વાયદા કારોબારને મંજૂરી આપી ચૂકી છે. ફ્યૂચર અથવા વાયદા એક નાણાંકીય કોન્ટ્રાક્ટ હોય છે. તેમાં ખરીદદાર એસેટ ખરીદી શકે છે અથવા વેચનાર પૂર્વનિર્ધારિત ફ્યૂચર તારીખ અને કિંમત પર તેને વેચી શકે છે. જોકે ફ્યૂચર કારોબાર લોન્ચ કરવા માટે સેબીની લીલી ઝંડી મેળવવી જરૂરી છે.
2/5

જેના પર સ્પષ્ટતા કરતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિતેલા દિવસોમાં કહ્યું હતું કે સરકાર આ મામલે કોઈને કોઈ સમાધાન ચોક્કસ લાવશે. જોકે હવે સરકારનું કહેવું છે કે, તે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતને કાબુમાં લેવા માટે કોઈ તાત્કાલીક નિર્ણય લેવાને બદલા લાંબાગાળાની રાહત પર વિચાર થઈ રહ્યો છે.
Published at : 30 May 2018 11:31 AM (IST)
View More





















