શોધખોળ કરો
સાયરસ મિસ્ત્રીએ રતન ટાટા પર આરોપોની કરી વણઝાર, જાણો nano car અંગે શું કર્યો ઘટસ્ફોટ
1/7

તેમણે કહ્યું કે કોઈપણ ખુલાસા વગર અચાનક જ તેમની હકાલપટ્ટીથી અનેક અટકળો થઈ છે અને તેમની તથા તાતા જૂથની પ્રતિષ્ઠાને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, પરફોર્મન્સ ન આપી શકવાને કારણે મને ખસેડાયો તે વાત હું માની શકું તેમ નથી. તાતા જૂથની અનેક કંપનીઓમાં અનેક સમસ્યાઓ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
2/7

તેમણે આક્ષેપ કર્યો કે રતન તાતાને કારણે જ તાતા જૂથે એવિએશન સેક્ટરમાં પ્રવેશ કરવો પડ્યો અને એર એશિયા તથા સિંગાપોર એરલાઈન્સ સાથે હાથ મિલાવવા પડ્યા અને તેમાં પણ આરંભમાં જે નક્કી થયું હતું તેના કરતા વધારે મૂડીરોકાણ કરવું પડ્યું. મિસ્ત્રીએ આ સાથે જ નૈતિકતાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કેટલીક નાણાકીય લેવડ-દેવડ સામે પણ ચિંતા દર્શાવી હતી. તાજેતરમાં આવી ૨૨ કરોડ રૂપિયાની બનાવટી લેવડ-દેવડ માલૂમ પડી હતી, જેમાં ભારત અને સિંગાપોરમાં અસ્તિત્વ જ ન ધરાવતી પાર્ટીઓના નામ છે.
Published at : 27 Oct 2016 09:58 AM (IST)
View More





















