નવી દિલ્હીઃ આજથી શરૂ થયેલા નવા વર્ષ 2019ની સાથે જ કેટલીક વસ્તુઓ બદલાઈ ગઈ છે. જેના કારણે લોકોને પરેશાની પણ ભોગવવી પડી શકે છે.
2/6
નવા વર્ષથી પ્રી જીએસટીવાળી ચીજો પર મળનારા ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં મળે. જીએસટી લાગુ થયા પહેલાની ચીજોને વેચવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. તેથી જે દુકાનદારો પાસે જૂનો સ્ટોક હતો તેઓ સ્ટોક ક્લિયર કરવા વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા.
3/6
ઈન્સ્યોરેન્સ રેગ્યુલેટર ઈરડાનાં નવા નિયમો 1 લી જાન્યુઆરીથી લાગુ થશે. અકસ્માતમાં વાહનનો માલિક અથવા ડ્રાઈવરનું મોત થવા પર તેના પરિવારને નક્કી કરાયેલી રકમ આપવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, હવે વાહનનાં વીમા માટે 750 રૂપિયાનું પ્રિમિયમ આપવું પડશે.
4/6
જાન્યુઆરીથી મોટા ભાગની ઓટો કંપની ગાડીઓનાં ભાવોમાં વધારો કરવા અંગેની જાહેરીત કરી ચુકી છે. જેમાં ટાટા મોટર્સ, મારુતિ, નિસાન, ફોર્ડ, ટોયાટો અને બીએમડબ્લ્યુ જેવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સે તમામ મુસાફરી વાહનોની કિંમતમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.
5/6
1લી જાન્યુઆરીથી નોન સીટીએસ ચેક પણ માન્ય ગણાવામાં નહિ આવે. આરબીઆઈનાં આદેશ પ્રમાણે જ ગ્રાહકો નોનસીટીએસ ચેકબુકનો ઉપયોગ કરે છે, હવે તેમણે સીટીએસ ચેકબુક લેવી પડશે. દેશની સૌથી મોટી બેંક આરબીઆઈએ 12 ડિસેમ્બરથી જ નોન-સીટીએસ ચેકને સ્વીકારવાનું બંધ કર્યુ છે.
6/6
1લી જાન્યુઆરીથી મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચાલશે નહિ, હવે આ પ્રકારનાં કાર્ડની બનાવટ બંધ થઈ ચુકી છે. જો કે કાર્ડની સુરક્ષા વધારવા માટે આ પ્રકારનાં પગલા ભરાઈ રહ્યા છે. આરબીઆઈએ 2016માં જ બેંકોને આદેશ આપતા કહ્યુ હતુ કે, મેગ્નેટિક કાર્ડની જગ્યાએ ચિપ કાર્ડને લાવવમાં આવે. જેના માટે 31 ડિસેમ્બર,2018ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. જેથી ગ્રાહક બેંક પાસેથી કાર્ડ બદલાવ્યા બાદ જ તેનો ઉપયોગ કરી શકશે. મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બ્લોક થઈ જવાના કારણે જે લોકોએ કાર્ડ નથી બદલાવ્યા તેઓ એટીએમમાંથી નાણાં નહીં ઉપાડી શકે.