![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chhotaudepur : પરણીત યુવતી યુવક સાથે માણતી શરીરસુખ ને પછી તો એક દિવસ......
ઢેબરપુરા ગામે મળી આવેલ પરિણીતાની લાશ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકની હત્યા કરી ખેતરમાં દફન કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રેમીએ પરિણીતાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
![Chhotaudepur : પરણીત યુવતી યુવક સાથે માણતી શરીરસુખ ને પછી તો એક દિવસ...... A married girl murder by lover in Chhotaudepur after denied marriage Chhotaudepur : પરણીત યુવતી યુવક સાથે માણતી શરીરસુખ ને પછી તો એક દિવસ......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27140904/3-45-year-old-women-have-an-affair-with-14-year-old-boy-in-kannauj.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
છોટાઉદેપુર : બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામે મળી આવેલ પરિણીતાની લાશ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકની હત્યા કરી ખેતરમાં દફન કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રેમીએ પરિણીતાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડતાં ઉશ્કેરાઈ હત્યા કરી નાંખી હતી. આરોપી પ્રેમી પ્રવીણ તડવીની બોડેલી પોલીસે ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઢેબરપુરાની 18 વર્ષીય યુવતીના હજુ ગયા વર્ષે જ લગ્ન થયા હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનાથી મૃતક યુવતી કોઈ કારણ પિયર આવી ગઈ હતી. દરમિયાન યુવતીને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. ત્યારે 20 દિવસ પહેલા પ્રેમીએ યુવતી પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે પ્રેમી પ્રવીણ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની હત્યા કરી નાંખી હતી. આ પછી તેની લાશ ત્યાં જ ખેતરમાં દાટી દીધી હતી.
બીજી તરફ પરણીત દીકરી ગુમ થઈ જતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારે 20 દિવસથી ગુમ પરણીતાની લાશ ઢેબરપૂરા ગામે કપાસના ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવી હતી. પરિણીતાની લાશ મળી હોવાની જાણ થતાં બોડેલી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી એફએસએલની મદદ લઈને લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.
પોલીસે યુવતીની લાશનો કબ્જો મેળવીને તપાસ કરતાં યુવતીનું પ્રેમપ્રકરણ ખૂલ્યું હતું. તેમજ પ્રેમીની પૂછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. હાલ, તો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Jamnagar : યુવતીને પિતરાઈ ભાઈ સાથે બંધાયા પ્રેમસંબંધ, ઘરેથી ભાગી ગયા ને પછી તો....
જામનગરઃ લાલપુર તાલુકાના માધુપુર ગામના પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જ્યારે યુવક સારવાર હેઠળ છે. યુવક અને યુવતી પિતરાઈ ભાઈ બહેન થતા હોય લગ્ન થઈ શકે તેમ ન હોય બંને ધરેથી ભાગી જઈ ઝેરી દવા ગટગટાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, લાલપુર તાલુકાના માધુપુર ગામની યુવતીને તેના જ પિતરાઈ સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધ આગળ વધતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે, બંને પિતરાઇ થતાં હોવાથી પરિવાર તરફથી લગ્ન માટે મંજૂરી મળી શકે તેમ ન લાગતાં બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, બંનેએ ઘરેથી ભાગી ગયા પછી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં યુવતીનું મોત નીપજ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)