શોધખોળ કરો

અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત

Fake ghee seized Ahmedabad: CTM, વટવા અને દૂધેશ્વરમાં આરોગ્ય વિભાગના દરોડા; 'વચનામૃત' અને 'રિધમ' બ્રાન્ડના 4,850 કિલો ઘીના નમૂના લેબમાં મોકલાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ AMCએ 4850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું.
  • CTM, વટવા, દૂધેશ્વરમાંથી ₹31.81 લાખનો જથ્થો પકડાયો.
  • રિધમ, વચનામૃત બ્રાન્ડના નમૂના લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા.
  • પાલડી-કાકંજની સાર્થક ફૂડ પ્રોડક્ટ્સમાંથી ઉત્પાદન; કાર્યવાહી થશે.

Fake ghee seized Ahmedabad: અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી અને શંકાસ્પદ ઘી વેચતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. કોર્પોરેશનની ટીમે શહેરના સીટીએમ (CTM), વટવા અને દૂધેશ્વર વિસ્તારમાં આવેલા 3 અલગ-અલગ ઠેકાણાઓ પર દરોડા પાડીને કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 31.81 લાખ રૂપિયા થાય છે. આરોગ્ય વિભાગે સ્થળ પરથી "રિધમ કાઉ ઘી" અને "વચનામૃત કાઉ ઘી" બ્રાન્ડના નમૂના લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સીટીએમ (CTM) ના સુપર સ્ટોકિસ્ટને ત્યાંથી મળ્યો મોટો જથ્થો

AMC ના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે બાતમીના આધારે દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલા સીટીએમ વિસ્તારની લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તપાસ હાથ ધરી હતી. અહીં અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર નામના વેપારીના ગોડાઉનમાંથી અંદાજે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 21.31 લાખ રૂપિયા થાય છે. ફૂડ વિભાગે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ ઘીનો જથ્થો સીઝ કરીને આ આખા યુનિટને સીલ કરી દીધું છે.

પાલડી-કાકંજ ગામમાં થતું હતું ઉત્પાદન

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને બ્રાન્ડના ઘીનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામના ઓડે-પીરાણા રોડ પર આવેલા 'સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ' નામના કારખાનામાં કરવામાં આવતું હતું. આ ઘી શહેરીજનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતું હોવાની આશંકા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગળની તપાસ અને જરૂરી કાર્યવાહી માટે રાજ્ય સરકારના સંબંધિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને પણ વિગતો મોકલી આપી છે.

આ પણ વાંચોઃ તમે ખાતા ગોળમાં ભેળસેળ તો નથી ને? આ રીતે કરો અસલીની ઓળખ

વટવા અને દૂધેશ્વરના વિતરકો પર પણ ત્રાટકી ટીમ

સીટીએમ ખાતે તપાસ દરમિયાન અધિકારીઓને આ નકલી ઘીના નેટવર્કના અન્ય બે ડિસ્ટ્રિબ્યુટર્સ (વિતરકો) ની માહિતી મળી હતી. જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ-અલગ ટીમોએ તાત્કાલિક વટવા સ્થિત 'વીરકૃપા ટ્રેડિંગ' અને દૂધેશ્વર સ્થિત 'ત્રિશાલા એજન્સી' પર દરોડા પાડ્યા હતા. આ બંને જગ્યાએથી ટીમને વધુ 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 10.49 લાખ રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીઓએ આ જથ્થો પણ વેચાણ માટે અટકાવી દીધો છે.

લેબ રિપોર્ટ બાદ થશે કાયદેસરની કાર્યવાહી

આમ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસરોના જણાવ્યા મુજબ, અત્યારે તમામ ઘીના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. રિપોર્ટમાં ઘી સબ-સ્ટાન્ડર્ડ કે એડલ્ટ્રેટેડ (ભેળસેળયુક્ત) સાબિત થશે, તો જવાબદાર વેપારીઓ અને ઉત્પાદકો સામે ફૂડ સેફ્ટી એક્ટ, 2006 હેઠળ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Frequently Asked Questions

અમદાવાદમાં કયા પ્રકારનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને કયા વિસ્તારોમાંથી?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે સીટીએમ, વટવા અને દૂધેશ્વર વિસ્તારોમાંથી 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે.

જપ્ત કરાયેલ શંકાસ્પદ ઘી કઈ બ્રાન્ડનું છે અને તેનું ઉત્પાદન ક્યાં થતું હતું?

જપ્ત કરાયેલ ઘી

શંકાસ્પદ ઘી જપ્ત કર્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવશે?

જપ્ત કરાયેલા ઘીના નમૂના ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ બાદ દોષિતો સામે ફૂડ સેફ્ટી એક્ટ, 2006 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.

અમદાવાદમાં કેટલા કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું અને તેની બજાર કિંમત કેટલી છે?

અમદાવાદમાં કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે. તેની અંદાજિત બજાર કિંમત 31.81 લાખ રૂપિયા થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
'લગ્ન પહેલાં સહમતિથી શારીરિક સંબંધ ગુનો નથી', સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
'લગ્ન પહેલાં સહમતિથી શારીરિક સંબંધ ગુનો નથી', સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
Embed widget