શોધખોળ કરો

ગર્લફ્રેન્ડને લગ્નની ના પાડવી ભારે પડી,  પ્રેમીએ ચાકૂ વડે હુમલો કરી સરેન્ડર કર્યું 

કોલકાતાની એક 42 વર્ષીય મહિલાની તેના પ્રેમીએ નિર્દયતાથી હત્યા કરી હતી. હકીકતમાં, મહિલાએ તેના પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેના પછી તેણે આ ભયંકર પગલું ભર્યું.

કોલકાતાની એક 42 વર્ષીય મહિલાની તેના પ્રેમીએ નિર્દયતાથી હત્યા કરી હતી. હકીકતમાં, મહિલાએ તેના પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેના પછી તેણે આ ભયંકર પગલું ભર્યું. મૃતકની ઓળખ ફરીદા ખાતૂન તરીકે થઈ છે, જે બેંગલુરુના એક સ્પા સેન્ટરમાં કામ કરતી હતી. 

ગિરીશે ફરીદા પર છરી વડે અનેક વાર હુમલો કર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, 'ફરીદા અને ગિરીશ 2022માં સંપર્કમાં આવ્યા જ્યારે ગિરીશ એક સ્પામાં ગયો હતો જ્યાં તે કામ કરતી હતી. તેમની મિત્રતા ખીલી અને પ્રેમમાં ફેરવાઈ. ફરીદા તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને તેના બે બાળકોનું ધ્યાન રાખી રહી હતી. વળી, ફરીદાના પતિનું તાજેતરમાં જ અવસાન થયું હતું.

એક મહિના પહેલા ખાતુન પશ્ચિમ બંગાળ ગઈ હતી. તે 29 માર્ચે ગિરીશના જન્મદિવસ પહેલા, 26 માર્ચે તેની પુત્રીઓ સાથે બેંગલુરુ પરત આવી હતી. ગિરીશના જન્મદિવસની ઉજવણી કરવા ઉપરાંત તે તેની એક પુત્રી માટે કૉલેજ શોધવા માંગતી હતી. ફરીદાની દીકરીઓને હોટલમાં ડ્રોપ કર્યા બાદ તેઓ શાલિની ગ્રાઉન્ડ ગયા હતા. જ્યારે ગિરીશે તેની સાથે લગ્ન કરવાનો આગ્રહ કર્યો, ત્યારે ફરીદાએ વિરોધ કર્યો અને તેણે કથિત રૂપે તેણીને સ્થળ પર ઘણી વાર ચાકૂથી વાર કર્યો.  આ પછી તે જયનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને સરેન્ડર કર્યું.

પોલીસે જણાવ્યું હતું કે તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે ગિરીશે 2011માં ઇસ્લામ કબૂલ કર્યો હતો પરંતુ તેની બહેન માટે સંબંધ કરવામાં  મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે, તેણે ફરી હિંદુ ધર્મ અપનાવ્યો પરંતુ આ દરમિયાન તે ઈસ્લામનું પણ પાલન કરતો હતો. 

સુરતમાં પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંત

સુરતના વરાછા વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું છે.  વરાછા વિસ્તારમાં આવેલ માધવ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી. પ્રેમિકા તેમની બહેનપણીના ઘરે ગઈ હતી ત્યારે પ્રેમીને મળવા બોલાવ્યો હતો.  પ્રેમી-પ્રેમિકા પાસે ગયો ત્યારે પ્રેમિકાના ભાઈઓ પણ પહોંચી ગયા હતા. પ્રેમિકાના ભાઈ,મામાનો છોકરો અને મામાએ ગંભીર રીતે પ્રેમીને માર માર્યો હતો.  પ્રેમીને ઢોરમાર મારતા બેભાન થઈ ગયો હતો. પ્રેમીને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.  વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

નજીકમાં  રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો

સમગ્ર અહેવાલ અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા મેહુલ સોલંકીને તેમની નજીકમાં  રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો. આ  મામલે યુવતીના પરીવારને  જાણ થઈ જતા તેમણે મકાન બદલાવી અલગ જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. પરંતુ તેમ છત્તા યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેઓ એકબીજા સાથે  સંપર્કમાં જોડાયેલા હતા. જેમાં ગીતા નગરની બાજુમાં આવેલી માધવપર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી. જેથી પ્રેમિકા તેની બહેનપણીને ત્યાં આવી અને તેમના પ્રેમી મેહુલ સોલંકીને મળવા માટે બોલાવ્યો હતો.

ભાઈને શંકા જતા તેમણે બહેનપણીના ઘરે પહોંચી ગયા

પ્રેમિકાના ભાઈને શંકા જતા તેમણે બહેનપણીના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં આ બંને પ્રેમીઓ મળી રહ્યા હતા.  ભાઈએ મામા સાથે મળી પ્રેમી મેહુલ સોલંકીને બેલ્ટ અને ફટકા વડે ઢોરમાર માર્યો હતો. આ  દરમ્યાન મેહુલના મિત્ર પાર્થ વાઘેલાને પ્રેમિકાની બહેનપણીએ કોલ કરી તેમના મિત્રને માર મારે છે તેવું જણાવતા તેમનો મિત્ર પાર્થ ઘટના સ્થળે ગયો હતો.જ્યાં ત્રણ લોકો મિત્ર મેહુલને ઢોરમાર મારતા હતા. પાર્થ માર મારવાનીના કહેતા પાર્થને પણ મારવાની ધમકી આપવામાં આવી જેથી પાર્થ નીચે આવી ગયો હતો.ત્યારબાદ તેમનો મિત્ર બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.પરંતુ વધુ પડતો માર મારવાના કારણે મૂઢ ઇજા થવાથી મેહુલનું મોત થયું હતું.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
'પરસ્પર સહમતિથી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બળાત્કાર ગણાય નહીં', અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
'પરસ્પર સહમતિથી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બળાત્કાર ગણાય નહીં', અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
સુરતમાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ: ઉદ્યોગપતિ અલ્પેશ રૂડાણી સામે મિત્રની જ પત્ની પર રેપની ફરિયાદ
સુરતમાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ: ઉદ્યોગપતિ અલ્પેશ રૂડાણી સામે મિત્રની જ પત્ની પર રેપની ફરિયાદ

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
Embed widget