શોધખોળ કરો

Crime News: સુરતના મોટા ગજાના બિલ્ડરનો આત્મહત્યાનો પ્રયાસ, આપઘાત પહેલા જાહેર કરી આ વાત, જુઓ વીડિયો

સુરતના મોટા મોટા વરાછા બિલ્ડરે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. બિલ્ડરે અમદાવાદ સોલા વિસ્તારમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ પહેલા તેને એક વીડિયો દ્વાર તેની વેદના વ્યક્ત કરી હતી.

Crime News:સુરતના મોટા મોટા વરાછા બિલ્ડરે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. બિલ્ડરે અમદાવાદ સોલા વિસ્તારમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ પહેલા તેને એક વીડિયો દ્વાર તેની વેદના વ્યક્ત કરી હતી.

મોટા વરાછા બિલ્ડરને સહજાનંદ વિહાર ગૃપમાં નાણાની લેતી દેતીની મામલે પરેશાન કરવામાં આવતા આવતા હતા. તેમના નિકટના મિત્રે એબીપી સાથે વાત કરતા અન્ય બિલ્ડર્સ અને દલાલ હેરાન કરતા હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. આપધાતનો પ્રયાસ કર્યાં પહેલા બિલ્ડરે પણ પોતાના વિશે કેટલીક વાતો જણાવતા વેદના વ્યક્ત કરી છે. આ વીડિયો સામે આવતા હડકંડ મચી ગઇ છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડરની હાલ SGVP હોસ્પિટલમાં સારવાર  ચાલી રહી છે.

બિલ્ડરે વીડિયોમાં શું કહ્યું?
બિલ્ડરે એના વીડિયોમાં જણાવ્યું છે કે, દોઢેક વર્ષથી તેને મુશ્કેલી હતી અને આ કારણે તે આપઘાત કરવા માટે પ્રયત્ન કરતો હતો. પણ તેની ત્નીને આ બાબતનો અંદેશો હોવાથી તે તેમને  એકલા  ન હતી છોડતી. આખરે તેમ જેમ કરીને પોતે આપઘાત માટે પગલું ભરતા હોવાનું વીડિયોમાં કહે છે.વીડિયોમાં બિલ્ડર એવું જણાવે છે કે, દોઢેક વર્ષથી એની જીંદગી ખરાબ થઈ છે. જો કે એ કોનાથી પરેશાન છે.એનો વીડિયોમાં કોઈ ફોડ પડાયો નથી પણ સૂત્રોનું કહેવું છે કે એની સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓને કારણે એની આર્થિક હાલત કફોડી થઇ ગઇ છે.ય જેનાથી તેને માનસિક ત્રાસ પણ  થતો હતો.બિલ્ડરે જે વીડિયો બનાવ્યો છે એમાં એ એના નજીકના સંબંધીને કહે છે કે, જે લોકોએ મારી સાથે ખોટું કર્યુ છે એ કોઈ છટકવા ન જોઈએ. ગુનેગારને સજા થાય એ માટે પોલીસ સ્ટેશન અને ગૃહમંત્રી સુધી આ વાત પહોંચાડવામાં આવે.


Crime News: ફેસબુકથી પરિણીતા આવી યુવકના સંપર્કમાં, બંને ગયા કપલ બોક્સમાં ને પછી.........

સુરતઃ સુરતમાં કપલ બોક્સમાં એક પરિણીતા પર બળાત્કાર થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના સિંગણપોરની પરિણીતાએ પીસીઆરના પૂર્વ ડ્રાઇવર પર બળાત્કાર થયાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હોવાનો પણ આરોપ લગાવવામા આવ્યો છે. પરિણીતાએ ફરિયાદમાં કપલ બોક્સમાં શારીરિક સંબંધ બાંધી તસવીરો પાડી બ્લેકમેઇલ કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. પરિણીતાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સિંગણપોર હરી દર્શનના ખાડા પાસે આવેલા સુમન પ્રતિક આવાસમાં રહેતા મયૂર પ્રવિણ નાવડિયાએ છેલ્લા બે વર્ષથી ફેસબુક મારફતે એક પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ પરિણીતાને કપલ બોક્સમાં મળવા બોલાવી હતી. જ્યાં તેણી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પરિણીતા પર બળાત્કાર બાદ તેને તરછોડી દેવાઇ હતી. આ મામલે ભોગ બનનાર પરિણીતાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Surat: સુરતમાં કોર્ટ પરિસરમાં હથિયાર લઈને ઘુસ્યા લોકો, ગેંગવોરની ઘટના બને તે પહેલાં જ પોલીસે પાર પાડ્યો ખેલ

સુરત: કોર્ટ પરિસરમાં જ ગેંગ વોર થાય તે પહેલા જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઇમરાન ઘડી અને એમરોજ દાલ ચાવલ ગેંગના સાગરીતો તીક્ષ્ણ હથિયારો લઈ કોર્ટમાં ગેંગવોર કરવાના ઇરાદે પ્રવેશ્યા હોવાની જાણ થતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય રહે છે. ગેંગવોરના અને કિસ્સાઓ સુરત શહેરમાં સમયાઅંતરે સામે આવતા રહે છે. સુરતમાં ફરી એક વખત કોર્ટ માર્ચ થવાની શક્યતા હતી પરંતુ સમયસર પોલીસને બાતમી મળતા ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડયો હતો. તમામ આરોપીઓ હથિયારો સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા. કોર્ટ પરિસરમાં આજે બે ગેંગના માણસોની સામસામેની અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે બાબતની તારીખો પડતા આજે બંને ગેંગના માણસો જિલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે એકબીજાને સામસામે મારામારી કરવાની માનસિકતા સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હ

ઉમરા પોલીસને માહિતી મળતા કોર્ટ પરિસરમાંથી 1 આરોપીને પકડી પાડયો હતો. હાલમાં ઉમરા પોલીસે અન્યની શોધખોળ શરૂ કરી છે. જિલ્લા કોર્ટમાં આજે ગેંગવોર  થતા રહી ગઈ હતી. કોર્ટની અંદર આજે ખૂની ખેલ ખેલાઈ જાય તેવી પૂર્ણ શક્યતા હતી પરંતુ ઉમરા પોલીસની સતર્કતાથી ગેંગવોર અટકી ગયો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget