શોધખોળ કરો

Crime News: કોડીનારમાં પાડોશીએ જ મહિલાને ઉતારી મોતને ઘાટ, સામાન્ય બોલાચાવી બાદ ઝીંક્યા છરીના ઘા

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી.જે બાદ મહિલાનો મૃતદેહ કોડીનાર સરકારી દવાખાને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Latest Crime News: કોડીનારમાં (Kodinar news) ખાનગી કંપનીમાં હત્યાનો બનાવ (murder in private company) સામે આવ્યો છે. પડોશીએ જ મહિલાને (neighbour murders women) મોતને ઘાટ ઉતારી હતી. સામાન્ય બોલાચાલી બાદ મહિલાને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. રેલવે કોલોની વિસ્તારમાં (railway colony) બનાવ બન્યો હતો, જેને લઈ ચકચાર મચી ગઈ હતી.

ક્યાં બન્યો બનાવ

ખાનગી કંપનીની રેલવે કોલોની(બિહારી કોલોની) તરીકે ઓળખાતા વિસ્તારમાં મહિલાનું મર્ડર થયું હતું. સામાન્ય બોલાચાલી બાદ પાડોશી મહિલા પર પડોશી પુરુષે છુરી હુલાવી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. જે બાદ મહિલાનો મૃતદેહ કોડીનાર સરકારી દવાખાને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 ગઢડા (સ્વામીના) તાલુકાના રસનાળ ગામની સીમ વિસ્તારમાં વાડીમાંથી ઘઉંનું કુંવળ કાઢવા મામલે ભાગિયા પિતા-પુત્રે એક યુવકને ભાલાના ઘા ઝીંકી હત્યા કરી નાંખ્યાની ચકચારી ઘટનામાં પોલીસે 40 દિવસે એક હત્યારા શખ્સને ઘેલા સોમનાથ મંદિરેથી દબોચી લીધો હતો. ગઢડાના રસાનાળ ગામે રાંદલ માતાજીના મંદિર પાસે રહેતા સુરેશભાઈ પરષોતમભાઈ સોજીત્રા (ઉ.વ.45)ની ગામની સીમમાં આંબરડી રોડ પર ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરતા મગન મનજીભાઈ પાંચાણી અને તેના દીકરા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ગતિયો (રહે, બન્ને રસનાળ) નામના શખ્સોએ ગત 8મી મેના રોજ ઘઉંની કુંવળ કાઢવા બાબતે સુરેશભાઈ સાથે બોલાચાલી કરતા તેઓ તેમના કુટુંબી ભત્રીજા અશોકભાઈ ઘુસાભાઈ સોજીત્રાને લઈ વાડીએ જતાં ત્યાં મગન પાંચાણીએ તેના દિકરાને ઉશ્કેરણી કરી બન્ને શખ્સે જાનથી મારી નાંખવા ધમકી આપી શખ્સે અશોકભાઈને ભાલાના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડતા તેમનું અમરેલી હોસ્પિટલમાં મૃત્યુ થતાં મામલો હત્યામાં પરિણમ્યો હતો.

આ બનાવ અંગે સુરેશભાઈ પરષોતમભાઈ સોજીત્રાએ હત્યારા પિતા-પુત્ર મગન મનજીભાઈ પાંચાણી અને જીતેન્દ્ર ઉર્ફ જીતુ ઉર્ફે ગતિયો પાંચાણી સામે નોંધાવેલી ફરિયાદના આધારે ઢસા પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સોને અલગ-અલગ ટીમો બનાવી ઉજ્જૈન-મધ્યપ્રદેશ, કચ્છ-ભુજ સહિતના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં ટેકનિકલ વર્ક આઉટ અને હ્યુમન સોર્સની મદદ લઈ 40 દિવસથી પોલીસથી ભાગતો-ફરતો જીતેન્દ્ર મગનભાઈ પાંચાણી નામના શખ્સને જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મંદિર ખાતેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget