શોધખોળ કરો

CRIME NEWS: અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર મહિલા મહંતના પ્રેમમાં પડી, પતિને ખબર પડતા કાસળ કાઢી નાખ્યું

અમદાવાદ: મહંત સાથે ઈલાજના બહાને પાંગરેલા સંબંધો મહિલાને ભારે પડ્યા છે. મહંત પાસે મહિલા ઈલાજ કરાવવા જતી હતી જે બાદ બન્ને વચ્ચે નજીકના સંબંધો બંધાયા, જેની જાણ મહિલાના પતિને થતા પત્નીની હત્યા કરી નાખી હતી.

અમદાવાદ: મહંત સાથે ઈલાજના બહાને પાંગરેલા સંબંધો મહિલાને ભારે પડ્યા છે. મહંત પાસે મહિલા ઈલાજ કરાવવા જતી હતી જે બાદ બન્ને વચ્ચે નજીકના સંબંધો બંધાયા, જેની જાણ મહિલાના પતિને થતા પત્નીની હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપી પતિ પોતાના વતન જવા ટ્રેનમાં બેસીને નિકળી ગયો હતો. જો કે નારોલ પોલીસે પણ સતર્કતા દાખવી હત્યા કરીને ફરાર થઈ રહેલ આરોપી પતિને ટ્રેન રોકાવી ઝડપી પાડ્યો હતો. 

નારોલની આકૃતિ ટાઉનશિપમાં પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ટ્રેન મારફતે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ઉત્તર પ્રદેશ જઈ રહ્યો હતો. ટ્રેન મધ્યપ્રદેશની બોર્ડર ક્રોસ કરવા નજીક હતી ત્યારે પોલીસે તેના મોબાઇલના લોકેશનના આધારે મધ્યપ્રદેશની બોર્ડર પાસે એટલે કે દાહોદ નજીકથી આરોપીની ધરપકડ કરી. રસપ્રદ વાત એ છે કે પોલીસે જ્યારે આરોપી પતિના મોબાઈલનું વારંવાર લોકેશન ટ્રેસ કર્યું ત્યારે રેલ્વે ટ્રેકનું લોકેશન જણાવ્યું. જેના આધારે પોલીસે રેલવે વિભાગના અધિકારીઓ સાથે સંકલન કર્યું અને માલુમ પડ્યું કે આરોપી ગોરખપુર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. 

જે બાદ દાહોદ પોલીસ અને રેલવે પોલીસની મદદથી ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડયો. મોટી વાત એ છે કે નવ વર્ષ પહેલા મૃતક પત્ની અને આરોપી પતિના પ્રેમ લગ્ન થયા હતા. જેમાં બન્નેને બે સંતાનો પણ છે. પોલીસનું કહેવું છે કે આ હત્યા પૂર્વ આયોજિત હતી. કારણ કે પત્નીના મહંત સાથેના અનૈતિક સંબંધોથી પતિ પરેશાન હતો, જેથી તેણે પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો. જે માટે તેણે પાંચ દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશ જવાની ટ્રેનની ટિકિટ પણ કન્ફર્મ કરાવી લીધી હતી. આરોપી તેના બે સંતાનોને લઈ પોતાના વતન ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 કારખાનામાં જ કામ કરતા કારીગરે ફેક્ટરીના માલિકની જ કરી નાખી હત્યા

સુરતમાં કારખાના માલિકની સહિત બે લોકોની હત્યા કરાઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો. નોકરીમાંથી છૂટા કરાતા કામદાર અને અન્ય સાગરીતોએ કારખાના માલિક અને ત્રણ શખ્સોને મોતને ઘાટ ઉતાર્યા હતા. શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેક્સો નામના કારખાના માલિકે કોઈ કારણોસર કારીગરને છૂટો કર્યો હતો.જે બાદ ઉશ્કેરાયેલા કામદારે પોતાના સાગરીતો સાથે વહેલી સવારે કારખાને પહોંચ્યો અને છરી વડે હુમલો કરી માલિક કલ્પેશભાઈ, ધનજીભાઈ, ઘનશ્યામભાઈ નામના વ્યક્તિની હત્યા કરી દીધી હતી.. હત્યા બાદ હુમલો કરનાર  કામદાર અને તેના સાગરીતો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.  તો ઘટનાને પગલે કારખાના માલિકોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. 2 આરોપીની ઘરપકડ કરી દેવાઇ છે.

ઘટનના પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકોનું કહેવું  છે કે, કારખાનામાં કામ કરનાર કારીગરો પરપ્રાંતિય છે અને અસામજિક પ્રવૃતિ સાથે જોડાયેલા છે. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી ગઇ હતી. 2 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવાઇ છે. પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ લઇ જવાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી ઓડિશાના હોવાનું જાણવા મળ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Embed widget