શોધખોળ કરો

CRIME NEWS: અંકલેશ્વરમાં આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, પતિએ કરી પત્નીની હત્યા

CRIME NEWS: અંકલેશ્વરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અંકલેશ્વરના બોયદ્રા ગામે 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં એવી વાત સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.

CRIME NEWS: અંકલેશ્વરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અંકલેશ્વરના બોયદ્રા ગામે 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પતિના બીજી સ્ત્રી સાથે આડાસંબંધ હોવાથી અવારનવાર બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. જે બાદ તપાસમાં એવી વાત સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.  તપાસમાં વાત સામે આવી કે, આ મહિલાની હત્યા તેમના જ પતિએ કરી હતી. મૃતકનું નામ ઉર્મિલા ચુનીલાલ ઓડ છે અને તેમનો મૃતદેહ આબોલી પ્રાથમિક શાળાની પાછળ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના જ કલાકોમાં મહિલાના પતિ ચુનીલાલ ઓડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદની નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ

થરાદની નર્મદા કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી છે. ઢીમા પુલ પાસે કોઈ યુવકે કેનાલમાં ઝંપલાવતા ચકચાર મચી છે. ઘટનાના દિવસે યુવકની લાશ શોધવાનો ખુબ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જો કે, બીજા દિવસે શોધખોળ બાદ મૃતકની લાશને કેનાલમાંથી બહાર કઢાઈ છે.  થરાદ ફાયર ફાઈટરે મેસેજ મળતા લાશને બહાર કાઢીને પરિવારને સોંપી છે. 22 વર્ષીય યુવકની કેનાલમાં છલાંગ લગાવવાનું રહસ્ય અકબંધ છે. હાલમાં હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું છે. યુવકના મોતની સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

સુરતમાં 15 ચપ્પુના ઘા મારી યુવકની હત્યા

સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ઘા મારી યુવકની હત્યા કરનારો મિત્ર જ નીકળતા ચકચાર મચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બંને મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે બીજી એક વાત એ પણ સામે આવી છે કે, આરોપી વિનોદ ગોહિલે હત્યાના ત્રણ કલાક પહેલા કતારગામમાં પણ એક યુવકને છરી મારી હોવાની માહિતી મળી છે.

વરાછા ફુલપાડા ખાતે આવેલી વસાહતમાં રહેતો અવધેશ પ્યારેલાલ પટેલ મજૂરી કામ કરે છે. અવધેશનો નાનો ભાઈ બ્રિજેશ એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. ગત તારીખ આઠમીએ ગોટાલાવાડીથી લાલ દરવાજા તરફ જતા રોડ પર પટેલ વાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડના ગેટ પાસેથી બ્રિજેશની લાશ મળી આવી હતી. મહેદરપુરા પોલીસની તપાસમાં બ્રિજેશની હત્યા તેના મિત્ર આરોપી વિનોદ ઉર્ફે વીકી મનોજ ગોહિલે કરી હતી.

બંને મિત્રો નશાખોર હતા. નશો કરી બંને મધરાત્રે બાઈક પર ગોટાલાવાડી તરફ જતા હતા ત્યારે તેઓ વચ્ચે રકઝગ થઈ હતી. જેથી બાઇક ઉભી રાખી ઉશ્કેરાટમાં આવી વિનોદે બ્રિજેશની15થી વધુ ચપ્પુના ઘા મારી રહેશી નાખ્યો હતો. વધુમાં આ ઘટનાના ત્રણ કલાક પહેલા વિનોદએ કતારગામમાં હરેશ બારૈયા નામના યુવકને પણ છરી મારી હતી. જે મામલે કતારગામમાં અલગથી ગુનો નોંધાયો હતો. કતારગામ પોલીસે વિનોદની ધરપકડ કરી હતી. હવે મહિધરપુરા પોલીસ આરોપીનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
Embed widget