શોધખોળ કરો

CRIME NEWS: અંકલેશ્વરમાં આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, પતિએ કરી પત્નીની હત્યા

CRIME NEWS: અંકલેશ્વરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અંકલેશ્વરના બોયદ્રા ગામે 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં એવી વાત સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.

CRIME NEWS: અંકલેશ્વરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અંકલેશ્વરના બોયદ્રા ગામે 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પતિના બીજી સ્ત્રી સાથે આડાસંબંધ હોવાથી અવારનવાર બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. જે બાદ તપાસમાં એવી વાત સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.  તપાસમાં વાત સામે આવી કે, આ મહિલાની હત્યા તેમના જ પતિએ કરી હતી. મૃતકનું નામ ઉર્મિલા ચુનીલાલ ઓડ છે અને તેમનો મૃતદેહ આબોલી પ્રાથમિક શાળાની પાછળ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના જ કલાકોમાં મહિલાના પતિ ચુનીલાલ ઓડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદની નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ

થરાદની નર્મદા કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી છે. ઢીમા પુલ પાસે કોઈ યુવકે કેનાલમાં ઝંપલાવતા ચકચાર મચી છે. ઘટનાના દિવસે યુવકની લાશ શોધવાનો ખુબ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જો કે, બીજા દિવસે શોધખોળ બાદ મૃતકની લાશને કેનાલમાંથી બહાર કઢાઈ છે.  થરાદ ફાયર ફાઈટરે મેસેજ મળતા લાશને બહાર કાઢીને પરિવારને સોંપી છે. 22 વર્ષીય યુવકની કેનાલમાં છલાંગ લગાવવાનું રહસ્ય અકબંધ છે. હાલમાં હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું છે. યુવકના મોતની સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

સુરતમાં 15 ચપ્પુના ઘા મારી યુવકની હત્યા

સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ઘા મારી યુવકની હત્યા કરનારો મિત્ર જ નીકળતા ચકચાર મચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બંને મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે બીજી એક વાત એ પણ સામે આવી છે કે, આરોપી વિનોદ ગોહિલે હત્યાના ત્રણ કલાક પહેલા કતારગામમાં પણ એક યુવકને છરી મારી હોવાની માહિતી મળી છે.

વરાછા ફુલપાડા ખાતે આવેલી વસાહતમાં રહેતો અવધેશ પ્યારેલાલ પટેલ મજૂરી કામ કરે છે. અવધેશનો નાનો ભાઈ બ્રિજેશ એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. ગત તારીખ આઠમીએ ગોટાલાવાડીથી લાલ દરવાજા તરફ જતા રોડ પર પટેલ વાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડના ગેટ પાસેથી બ્રિજેશની લાશ મળી આવી હતી. મહેદરપુરા પોલીસની તપાસમાં બ્રિજેશની હત્યા તેના મિત્ર આરોપી વિનોદ ઉર્ફે વીકી મનોજ ગોહિલે કરી હતી.

બંને મિત્રો નશાખોર હતા. નશો કરી બંને મધરાત્રે બાઈક પર ગોટાલાવાડી તરફ જતા હતા ત્યારે તેઓ વચ્ચે રકઝગ થઈ હતી. જેથી બાઇક ઉભી રાખી ઉશ્કેરાટમાં આવી વિનોદે બ્રિજેશની15થી વધુ ચપ્પુના ઘા મારી રહેશી નાખ્યો હતો. વધુમાં આ ઘટનાના ત્રણ કલાક પહેલા વિનોદએ કતારગામમાં હરેશ બારૈયા નામના યુવકને પણ છરી મારી હતી. જે મામલે કતારગામમાં અલગથી ગુનો નોંધાયો હતો. કતારગામ પોલીસે વિનોદની ધરપકડ કરી હતી. હવે મહિધરપુરા પોલીસ આરોપીનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ: 4 હથિયારધારીઓએ ધોળા દિવસે SBI બેંકમાંથી 50 લાખ લૂંટ્યા
સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ: 4 હથિયારધારીઓએ ધોળા દિવસે SBI બેંકમાંથી 50 લાખ લૂંટ્યા
મહેસાણા નગરપાલિકા ચૂંટણીમાં ખૂની ખેલ: ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા, કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 સામે ફરિયાદ
મહેસાણા નગરપાલિકા ચૂંટણીમાં ખૂની ખેલ: ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા, કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 સામે ફરિયાદ
ગુજરાત ATSનું મોટું એકશન, ISIS સાથે જોડાયેલા 2 આરોપીની ધરપકડ, નાપાક ઇરાદાનો પર્દાફાશ
ગુજરાત ATSનું મોટું એકશન, ISIS સાથે જોડાયેલા 2 આરોપીની ધરપકડ, નાપાક ઇરાદાનો પર્દાફાશ
વલસાડના ઉમરગામમાં 69 વર્ષીય વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી સાયબર ગઠિયાઓએ 1.11 કરોડ પડાવ્યા
વલસાડના ઉમરગામમાં 69 વર્ષીય વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી સાયબર ગઠિયાઓએ 1.11 કરોડ પડાવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પત્રકારોનો પોલ, જિલ્લા પંચાયતમાં કોણ મારશે બાજી?
Chaitra Vasava controversy: ચૈતર વસાવા પર મૃતકના સગાને લાફો મારવાનો આરોપ
Local Body Election Voting : અમદાવાદ જિ.પં.ની હડાળા બેઠક પર EVM સગેવગે કર્યાનો આરોપ
Sabarkantha Crime : આડા સંબંધની શંકામાં યુવકે કરી પરિવારના 3 સભ્યોની હત્યા
Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Election 2026: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પત્રકાર પોલ: 34 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પત્રકાર પોલ: 34 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે?
34 જિલ્લા પંચાયતનો પત્રકાર પોલ: કોંગ્રેસ માત્ર 249 બેઠકો સુધી સમેટાઈ જશે, જાણો કયા ઝોનમાં કેવું રહેશે પ્રદર્શન?
34 જિલ્લા પંચાયતનો પત્રકાર પોલ: કોંગ્રેસ માત્ર 249 બેઠકો સુધી સમેટાઈ જશે, જાણો કયા ઝોનમાં કેવું રહેશે પ્રદર્શન?
ચૂંટણી પૂરી થતા જ એક્શનમાં સરકાર! 60 ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તાત્કાલિક જારી
ચૂંટણી પૂરી થતા જ એક્શનમાં સરકાર! 60 ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તાત્કાલિક જારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
હીટવેવથી ગુજરાત ત્રાહિમામ: કાલે 5 જિલ્લામાં યલો એલર્ટ, કચ્છ રાજકોટમાં વધશે ગરમીનો પારો
હીટવેવથી ગુજરાત ત્રાહિમામ: કાલે 5 જિલ્લામાં યલો એલર્ટ, કચ્છ રાજકોટમાં વધશે ગરમીનો પારો
કિંગ કોહલીનો વધુ એક કીર્તિમાન: IPL ના ઈતિહાસમાં રચ્યો આ મહારેકોર્ડ, બન્યો દુનિયાનો પ્રથમ ખેલાડી
કિંગ કોહલીનો વધુ એક કીર્તિમાન: IPL ના ઈતિહાસમાં રચ્યો આ મહારેકોર્ડ, બન્યો દુનિયાનો પ્રથમ ખેલાડી
ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?
ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?
Embed widget