શોધખોળ કરો

CRIME NEWS: અંકલેશ્વરમાં આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, પતિએ કરી પત્નીની હત્યા

CRIME NEWS: અંકલેશ્વરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અંકલેશ્વરના બોયદ્રા ગામે 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં એવી વાત સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.

CRIME NEWS: અંકલેશ્વરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અંકલેશ્વરના બોયદ્રા ગામે 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પતિના બીજી સ્ત્રી સાથે આડાસંબંધ હોવાથી અવારનવાર બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. જે બાદ તપાસમાં એવી વાત સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.  તપાસમાં વાત સામે આવી કે, આ મહિલાની હત્યા તેમના જ પતિએ કરી હતી. મૃતકનું નામ ઉર્મિલા ચુનીલાલ ઓડ છે અને તેમનો મૃતદેહ આબોલી પ્રાથમિક શાળાની પાછળ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના જ કલાકોમાં મહિલાના પતિ ચુનીલાલ ઓડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદની નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ

થરાદની નર્મદા કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી છે. ઢીમા પુલ પાસે કોઈ યુવકે કેનાલમાં ઝંપલાવતા ચકચાર મચી છે. ઘટનાના દિવસે યુવકની લાશ શોધવાનો ખુબ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જો કે, બીજા દિવસે શોધખોળ બાદ મૃતકની લાશને કેનાલમાંથી બહાર કઢાઈ છે.  થરાદ ફાયર ફાઈટરે મેસેજ મળતા લાશને બહાર કાઢીને પરિવારને સોંપી છે. 22 વર્ષીય યુવકની કેનાલમાં છલાંગ લગાવવાનું રહસ્ય અકબંધ છે. હાલમાં હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું છે. યુવકના મોતની સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

સુરતમાં 15 ચપ્પુના ઘા મારી યુવકની હત્યા

સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ઘા મારી યુવકની હત્યા કરનારો મિત્ર જ નીકળતા ચકચાર મચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બંને મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે બીજી એક વાત એ પણ સામે આવી છે કે, આરોપી વિનોદ ગોહિલે હત્યાના ત્રણ કલાક પહેલા કતારગામમાં પણ એક યુવકને છરી મારી હોવાની માહિતી મળી છે.

વરાછા ફુલપાડા ખાતે આવેલી વસાહતમાં રહેતો અવધેશ પ્યારેલાલ પટેલ મજૂરી કામ કરે છે. અવધેશનો નાનો ભાઈ બ્રિજેશ એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. ગત તારીખ આઠમીએ ગોટાલાવાડીથી લાલ દરવાજા તરફ જતા રોડ પર પટેલ વાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડના ગેટ પાસેથી બ્રિજેશની લાશ મળી આવી હતી. મહેદરપુરા પોલીસની તપાસમાં બ્રિજેશની હત્યા તેના મિત્ર આરોપી વિનોદ ઉર્ફે વીકી મનોજ ગોહિલે કરી હતી.

બંને મિત્રો નશાખોર હતા. નશો કરી બંને મધરાત્રે બાઈક પર ગોટાલાવાડી તરફ જતા હતા ત્યારે તેઓ વચ્ચે રકઝગ થઈ હતી. જેથી બાઇક ઉભી રાખી ઉશ્કેરાટમાં આવી વિનોદે બ્રિજેશની15થી વધુ ચપ્પુના ઘા મારી રહેશી નાખ્યો હતો. વધુમાં આ ઘટનાના ત્રણ કલાક પહેલા વિનોદએ કતારગામમાં હરેશ બારૈયા નામના યુવકને પણ છરી મારી હતી. જે મામલે કતારગામમાં અલગથી ગુનો નોંધાયો હતો. કતારગામ પોલીસે વિનોદની ધરપકડ કરી હતી. હવે મહિધરપુરા પોલીસ આરોપીનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
'પરસ્પર સહમતિથી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બળાત્કાર ગણાય નહીં', અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
'પરસ્પર સહમતિથી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બળાત્કાર ગણાય નહીં', અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
Embed widget