શોધખોળ કરો

નવસારીમાં ધૂળેટીનો પર્વ બન્યો લોહીયાળઃ બે જૂથ વચ્ચે મારામારીમાં એકનું મોત

શહેરમાં ધૂળેટીનો પર્વ લોહીયાળ બન્યો હતો. નવસારીના ધોળાપીપળા પાસે આવેલ સંદલપોર ગામ બે જૂથો વચ્ચે મોડી રાત્રે અથડામણ થતાં એકનું મોત થયું છે.

નવસારીઃ શહેરમાં ધૂળેટીનો પર્વ લોહીયાળ બન્યો હતો. નવસારીના ધોળાપીપળા પાસે આવેલ સંદલપોર ગામ બે જૂથો વચ્ચે મોડી રાત્રે અથડામણ થતાં એકનું મોત થયું છે.  બપોરના સમયે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતાં રાત્રે મામલો વધુ ઉશ્કેરાતા અથડામણ થઈ હતી. ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતાં ગ્રામ્ય પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.  કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં 3-3 હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં એક અને રાજકોટમાં બે યુવકોની હત્યા થઈ છે. રાજકોટમાં ફરી એક વખત તહેવારમાં લોહીયાળ ઘટના બની છે. હોળી પર્વ રક્તરંજીત બન્યું હતું. રાજકોટના ગોકુલધામ આવાસમાં હત્યાની ઘટના બની હતી. પાડોશીએ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી. હત્યા સહિતના કારણો જાણવા માલવીયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો પ્રમાણે, આવાસના ક્વાર્ટરમાંથી યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકનું નામ રમેશ રાઠોડ હોવાનું અને તેની હત્યા બાજુમાં રહેતા અમિત જેન્તી ચૌહાણે કરી હોવાનું જાણવા મળતા આરોપીને સકંજામાં લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આપેલી વિગતો પ્રમાણે, મૃતક એકલો જ રહેતો હતો. પાડોશમાં રહેતા આરોપીએ છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રમેશની હત્યા કરી છે. રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ હત્યાથી આવાસમાં ટોળાં એકઠા થઇ ગયા હતા. સકંજામાં આવેલા આરોપી અમિત ચૌહાણની પૂછપરછ કરી હત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટના ગોંડલમાં હત્યાની ઘટના સામે આવી છે. ગોંડલ- મોવિયા રોડ પર બની યુવાનની હત્યાની ઘટના બની છે. ફુલવાળી ચોકની અંદર યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાસેથી લોખંડનો મોટો ટુકડો મળ્યો છે.  જ્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ. ગોવાલક ગણપત નગરમાં 35 વર્ષય ધર્મેન્દ્ર પરિહાર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. સોસાયટીમાં જ રહેતા કેટલાક હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી છે. અંગત અદાવતમાં હત્યા કરાયાનું અનુમાન છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીની ઘટના. હોળીના દિવસે બપોર ના સમયે ગળે ફાંસો ખાઈને મહિલાએ આપઘાત કર્યો. કાજલબેન ચાવડા નામની મહિલાએ કર્યો આપઘાત. મહિલાની જે સ્થિતિ છે તેના પરથી શંકા ઉદભવી રહી છે. મહિલાની હત્યા કે પછી આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો. કાપોદ્રા વિસ્તારમાં મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી. ગળેફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી, પરંતુ મહિલાનાના ઘુટણ જમીન સુધી હોવાનું સામે આવ્યું. મહિલાએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ તેની તપાસ શરૂ. કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત નોંધ કરી તપાસ આરંભી. ઘટનાના પગલે સતનારાયણ સોસાયટીમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ લોકો એકઠા થયા.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget