શોધખોળ કરો

OBC, SC કે ST, કઇ કેટેગરીમાંથી વધુ બને છે IAS, IPS અને IFS ? સરકારે આપ્યો જવાબ

સંસદમાં સરકારને IAS, IPS અને IFSની સંખ્યા અંગે પૂછવામાં આવ્યું હતું. સરકારને પૂછવામાં આવ્યું કે SC, ST અને OBCમાંથી અત્યાર સુધીમાં કેટલા IAS, IPS અને IFS અધિકારીઓ છે

આ દિવસોમાં દેશમાં IAS ઓફિસરોની ઘણી ચર્ચા છે. ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર કેસે UPSC પર ઘણા ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાસ્તવમાં, પૂજા પર UPSCમાં સિલેક્ટ થવા માટે માહિતી છૂપાવવાનો અને OBC નૉન-ક્રિમીલેયર ક્વૉટા અને વિકલાંગતા સર્ટિફિકેટની મદદ લેવાનો આરોપ છે.

ઠીક છે, આજે આપણે પૂજા ખેડકર વિશે નહીં પરંતુ વર્ષ 2018 થી 2022 દરમિયાન UPSC દ્વારા પસંદ કરાયેલા OBC, SC અને ST, IAS, IPS અને IAFS અધિકારીઓની સંખ્યા વિશે જાણીશું. વાસ્તવમાં સંસદમાં આને લગતા સવાલોના જવાબમાં સરકારે તેના આંકડા જાહેર કર્યા છે.

સરકારે શું કહ્યું 
સંસદમાં સરકારને IAS, IPS અને IFSની સંખ્યા અંગે પૂછવામાં આવ્યું હતું. સરકારને પૂછવામાં આવ્યું કે SC, ST અને OBCમાંથી અત્યાર સુધીમાં કેટલા IAS, IPS અને IFS અધિકારીઓ છે. મોદી સરકારમાં મંત્રી ડો. જિતેન્દ્રસિંહે આ પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFS)માં ભરતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા કરવામાં આવે છે. તે નિયમો અનુસાર કરવામાં આવે છે.

હાલની સૂચનાઓ અનુસાર, IAS, IPS અને IFS ની ભરતીમાં, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) ને 15%, 7.5% અને 27% ના દરે અનામત મળ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં કેટલી થઇ ભરતી 
સંસદમાં આપેલા પોતાના જવાબમાં મોદી સરકારના મંત્રી ડો. જીતેન્દ્રસિંહે કહ્યું કે વર્ષ 2018માં OBCમાંથી 54 IAS, 40 IPS અને 40 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે, આ વર્ષે SC ક્વૉટામાંથી 29 IAS, 23 IPS અને 16 IFS ની ભરતી કરવામાં આવી હતી. ST ક્વૉટા વિશે વાત કરીએ તો, વર્ષ 2018 માં ST ક્વૉટામાંથી 14 IAS, 9 IPS અને 8 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

2019ની વાત કરીએ તો OBC ક્વૉટામાંથી 61 IAS, 42 IPS અને 33 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. SC ક્વૉટામાંથી 28 IAS, 24 IPS અને 13 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ST ક્વૉટામાંથી 14 IAS, 9 IPS અને 7 IFS અધિકારીઓની ભરતી કરવામાં આવી હતી. 2020 માં, 61 IAS, 41 IPS અને 31 IFS અધિકારીઓની OBCમાંથી ભરતી કરવામાં આવી હતી. SC ક્વૉટાની વાત કરીએ તો આ ક્વૉટામાંથી 25 IAS, 23 IPS અને 13 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. ST ક્વૉટામાંથી 13 IAS, 10 IPS અને 6 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

2021 અને 2022ની વાત કરીએ તો વર્ષ 2021માં OBCમાંથી 54 IAS, 57 IPS અને 34 IFSની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022 માં, 58 IAS, 49 IPS અને 40 IFS અધિકારીઓની OBC કેટેગરીમાં પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 2021 માં SC ક્વૉટામાંથી 30 IAS, 28 IPS અને 13 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે 2022માં 28 IAS, 25 IPS અને 16 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. ST ક્વૉટાની વાત કરીએ તો વર્ષ 2021માં ST ક્વૉટામાંથી 13 IAS, 14 IPS અને 7 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. 2022ની વાત કરીએ તો, ST ક્વોટામાંથી 14 IAS, 20 IPS અને 8 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL Recruitment 2026: બીએસએનએલમાં સિનિયર એક્ઝિક્યુટિવના 120 પદો પર થશે ભરતી, જાણો અપ્લાયની ડેડલાઇન
BSNL Recruitment 2026: બીએસએનએલમાં સિનિયર એક્ઝિક્યુટિવના 120 પદો પર થશે ભરતી, જાણો અપ્લાયની ડેડલાઇન
NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Embed widget