શોધખોળ કરો

Job : નોકરીની ચિંતા છોડી ભારતીયો છાતી પર હાથ રાખી ઉંઘે!!! સર્વેમાં આવી ખુશ ખબર

એક અહેવાલ પ્રમાણે 2023માં જુદી જુદી કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં જ 1 લાખથી વધુ નોકરીઓની છટણી કરવામાં આવી છે.

Job Openings In India In Coming Year: આજકાલ રોજેરોજ એક યા બીજી કંપનીમાંથી કર્મચારીઓને હટાવવાના સમાચાર સામે આવે છે. મોટી કંપનીઓએ પણ નોકરીમાં મોટા પાયે છટણી કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે 2023માં જુદી જુદી કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં જ 1 લાખથી વધુ નોકરીઓની છટણી કરવામાં આવી છે. જેથી હવે એવુ વાતાવરણ ઉભુ થયું છે કે, ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીઓને પોતાની નોકરી સુરક્ષિત નથી લાગતી. પરંતુ આ સ્થિતિમાં ભારતના યુવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે. 

અહેવાલ મુજબ આવનારા સમયમાં ભલે દુનિયાભરના લોકોની નોકરીઓ મુશ્કેલીમાં હોય પરંતુ આપણા દેશમાં પ્રતિભાશાળી લોકો માટે કામની કોઈ કમી નહીં વર્તાય. એક સર્વે અનુસાર, લગભગ 40 ટકા CXOને લાગે છે કે અહીં નોકરીઓમાં 5 થી 15 ટકા વૃદ્ધિ થશે.

શું કહે છે રિપોર્ટ?

TOIના સમાચાર અનુસાર, બિઝનેસ અને હાયરિંગના ક્ષેત્રમાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે નોકરીઓ ગુમાવવી એ આ વર્ષની સૌથી મોટી સમસ્યા બની શકે છે. પછી યોગ્ય વ્યક્તિની ભરતી અને જાળવી રાખવાનો મુદ્દો આવે છે. આમ છતાં 76 ટકા નેતાઓને લાગે છે કે આ વર્ષે ભરતીમાં વૃદ્ધિ થશે.

આવા પ્રકારના લોકોને મળશે નોકરી 

સર્વેમાં એક તૃતીયાંશથી વધુ બિઝનેસ લીડર્સે જણાવ્યું હતું કે, તેઓ નોકરી પર રાખતી વખતે આ ગુણવત્તા પર મહત્તમ ધ્યાન આપશે કે કઇ વ્યક્તિને બિઝનેસ વધારવાની ભૂખ છે. ભરતી વખતે એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે, જેઓ તમારા વ્યવસાયને વધારવા માટે એક અલગ સ્તરનો ઉત્સાહ ધરાવતા હોય.

કેટલીક સંસ્થાઓનું શું માનવુ છે?

જ્યારે અન્ય સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, 22 ટકા સંસ્થાઓનું માનવું છે કે, આ ક્ષેત્રમાં અનિશ્ચિતતાના કારણે ભરતી પર અસર થશે. 19 ટકા બિઝનેસ લીડર્સ પણ માનતા હતા કે નોકરી કરતી વખતે નવીન ક્ષમતાને પણ મહત્વ આપવામાં આવશે. સંસ્થાઓ હવે તેમની કામ કરવાની રીત બદલવા માંગે છે અને આવતીકાલ વિશે વિચારતા લોકોને નોકરી પર રાખવા માંગે છે. આનો અર્થ એ છે કે સંસ્થાઓ વધુ જોખમ લેશે અને નવીનતા પર વધુ ખર્ચ કરશે.

કેટલા માને છે કે દેશમાં આવી શકે છે મંદી?

સર્વેમાં માત્ર 10 ટકા લોકોએ કહ્યું કે, આ વર્ષે ભરતીનું સ્તર ઘટી શકે છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ચીનમાં લોકો નોકરીને લઈને ચિંતિત છે ત્યારે ઈન્ડિયા ઈન્ક ભારતીય અર્થતંત્ર અંગે સકારાત્મક છે કારણ કે સર્વેમાં માત્ર 9 ટકા લોકો જ તેના વિશે ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે ઈ-કોમર્સ, ફાર્મા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
Accident: હિંમતનગરમાં બસ અને કારનો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત
Accident: હિંમતનગરમાં બસ અને કારનો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત
PMIS: PM ઈન્ટર્નશીપ સ્કીમમાં યુવાઓ માટે સારા સમાચાર, હવે દર મહિને મળશે 9 હજાર રૂપિયા
PMIS: PM ઈન્ટર્નશીપ સ્કીમમાં યુવાઓ માટે સારા સમાચાર, હવે દર મહિને મળશે 9 હજાર રૂપિયા
ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?
ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget