શોધખોળ કરો

9 થી 12 ધોરણ સુધીના શિક્ષકોની ભરતી માટે હવે TET થશે ફરજિયાત, NCTEએ કરી ભલામણ

ગઈકાલે યોજાયેલી TET પરની રાષ્ટ્રીય પરિષદમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી

નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એ શિક્ષકોની ભરતી માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. નિયમ મુજબ, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને માધ્યમિક સ્તર (વર્ગ 9 થી 12) પર TET ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. ગઈકાલે યોજાયેલી TET પરની રાષ્ટ્રીય પરિષદમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કાઉન્સિલે સીબીએસઇ સાથે પાર્ટનરશીપ કરીને ટીચર એલિજિબિલીટી ટેસ્ટ એટલે કે 'ટેટ' પર ચર્ચા કરવા માટે એક દિવસ માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ અંતર્ગત શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકોએ પણ TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) આપવી પડશે. જે આગામી શૈક્ષણિક સત્ર 2024-25થી લાગુ થશે. અત્યાર સુધી, શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 8 સુધી ભણાવતા શિક્ષકો માટે જ TET ફરજિયાત હતું. હાલમાં આ સિસ્ટમ કેન્દ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. જેને રાજ્યો પણ અપનાવી શકે છે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન (NCTE) એ સોમવારે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) સંબંધિત નેશનલ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રસંગે કાઉન્સિલના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ સિંહે જણાવ્યું હતું કે માર્કસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શિક્ષણ પ્રણાલીનું ધ્યાન વિદ્યાર્થીઓના વિકાસ અને મૂલ્યો પર હોવું જોઈએ. જે ત્યારે જ શક્ય બને છે જ્યારે તેમને ભણાવતા શિક્ષકો આ સમજ ધરાવતા હોય.

આ પ્રસંગે એનસીટીઇના સચિવ કેસાંગ વાઇ શેરપાએ શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકો માટે આગામી શૈક્ષણિક સત્રથી TET યોજવા અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ દિશામાં ઝડપથી તૈયારીઓ ચાલી રહી છે.

હાલમાં શાળાઓમાં ધોરણ 9 થી 12 ભણાવતા શિક્ષકો માટે આ ફરજિયાત ન હતું. નોંધનીય છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ધોરણ 1 થી ધોરણ 12 સુધી ભણાવતા તમામ શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવાની ભલામણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે નિધિ છિબ્બરે કહ્યું હતું કે એક શિક્ષકની ક્ષમતા જ ક્લાસમાં એક સ્વસ્થ વાતાવરણ બનાવી શકે છે એટલા માટે ટીઇટી એક શિક્ષકની ક્ષમતા સમજવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

તેમણે કહ્યું હતું કે સીબીએસઇ લાંબા સમયથી ટીઇટી પરીક્ષાનું આયોજન કરે છે. તેની પાસે એક લાંબો અનુભવ છે. અમે એનસીટીઇ સાથે આ સંદર્ભમાં ડેટા શેર કરીશું અને ભાવિ યોજનાઓને સાથે મળીને લાગુ કરીશું.

નેશનલ કાઉન્સિલના ટીઇટી કન્વિનર અભિમન્યુ યાદવે સ્કૂલ શિક્ષકોની ગુણવતા અને ક્ષમતામાં સુધારમાં ટીઇટીની ભૂમિકા પર પ્રકાશ ફેંક્યો હતો. આ દરમિયાન યાદવે પરીક્ષા પ્રક્રિયા, પાત્રતા માપદંડ અને સ્કૂલોમાં યોગ્ય ટીચિંગ પ્રોફેશનલ્સની પસંદગીને સુનિશ્વિત કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
BOB Recruitment 2026: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત 86 પદ પર ભરતી, 1.05 લાખ સુધી મળશે પગાર 
BOB Recruitment 2026: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત 86 પદ પર ભરતી, 1.05 લાખ સુધી મળશે પગાર 
NEET પેપર લીકને રોકવા ટેલિગ્રામ પર મુકાયો છે પ્રતિબંધ, કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી
NEET પેપર લીકને રોકવા ટેલિગ્રામ પર મુકાયો છે પ્રતિબંધ, કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
Embed widget