શોધખોળ કરો

9 થી 12 ધોરણ સુધીના શિક્ષકોની ભરતી માટે હવે TET થશે ફરજિયાત, NCTEએ કરી ભલામણ

ગઈકાલે યોજાયેલી TET પરની રાષ્ટ્રીય પરિષદમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી

નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એ શિક્ષકોની ભરતી માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. નિયમ મુજબ, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને માધ્યમિક સ્તર (વર્ગ 9 થી 12) પર TET ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. ગઈકાલે યોજાયેલી TET પરની રાષ્ટ્રીય પરિષદમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કાઉન્સિલે સીબીએસઇ સાથે પાર્ટનરશીપ કરીને ટીચર એલિજિબિલીટી ટેસ્ટ એટલે કે 'ટેટ' પર ચર્ચા કરવા માટે એક દિવસ માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ અંતર્ગત શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકોએ પણ TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) આપવી પડશે. જે આગામી શૈક્ષણિક સત્ર 2024-25થી લાગુ થશે. અત્યાર સુધી, શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 8 સુધી ભણાવતા શિક્ષકો માટે જ TET ફરજિયાત હતું. હાલમાં આ સિસ્ટમ કેન્દ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. જેને રાજ્યો પણ અપનાવી શકે છે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન (NCTE) એ સોમવારે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) સંબંધિત નેશનલ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રસંગે કાઉન્સિલના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ સિંહે જણાવ્યું હતું કે માર્કસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શિક્ષણ પ્રણાલીનું ધ્યાન વિદ્યાર્થીઓના વિકાસ અને મૂલ્યો પર હોવું જોઈએ. જે ત્યારે જ શક્ય બને છે જ્યારે તેમને ભણાવતા શિક્ષકો આ સમજ ધરાવતા હોય.

આ પ્રસંગે એનસીટીઇના સચિવ કેસાંગ વાઇ શેરપાએ શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકો માટે આગામી શૈક્ષણિક સત્રથી TET યોજવા અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ દિશામાં ઝડપથી તૈયારીઓ ચાલી રહી છે.

હાલમાં શાળાઓમાં ધોરણ 9 થી 12 ભણાવતા શિક્ષકો માટે આ ફરજિયાત ન હતું. નોંધનીય છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ધોરણ 1 થી ધોરણ 12 સુધી ભણાવતા તમામ શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવાની ભલામણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે નિધિ છિબ્બરે કહ્યું હતું કે એક શિક્ષકની ક્ષમતા જ ક્લાસમાં એક સ્વસ્થ વાતાવરણ બનાવી શકે છે એટલા માટે ટીઇટી એક શિક્ષકની ક્ષમતા સમજવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

તેમણે કહ્યું હતું કે સીબીએસઇ લાંબા સમયથી ટીઇટી પરીક્ષાનું આયોજન કરે છે. તેની પાસે એક લાંબો અનુભવ છે. અમે એનસીટીઇ સાથે આ સંદર્ભમાં ડેટા શેર કરીશું અને ભાવિ યોજનાઓને સાથે મળીને લાગુ કરીશું.

નેશનલ કાઉન્સિલના ટીઇટી કન્વિનર અભિમન્યુ યાદવે સ્કૂલ શિક્ષકોની ગુણવતા અને ક્ષમતામાં સુધારમાં ટીઇટીની ભૂમિકા પર પ્રકાશ ફેંક્યો હતો. આ દરમિયાન યાદવે પરીક્ષા પ્રક્રિયા, પાત્રતા માપદંડ અને સ્કૂલોમાં યોગ્ય ટીચિંગ પ્રોફેશનલ્સની પસંદગીને સુનિશ્વિત કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?

વિડિઓઝ

Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
Embed widget