શોધખોળ કરો

PM મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ, કહ્યું- જે લોકો બેંકમાં ખાતા ન ખોલાવી શક્યા તેઓ પૈસા આપવાની વાતો કરે છે

મેરઠઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે, આ ચૂંટણી મજબૂત દેશના સપના સાથે જોડાયેલી છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કામનો હિસાબ આપીશ અને સાથે બીજાના કામોનો હિસાબ પણ લઇશ. ચોકીદાર અન્યાય નથી કરતો, વારાફરતી બધાનો હિસાબ થશે. 5 વર્ષ પહેલા જ્યારે મેં તમારી પાસે આશીર્વાદ માંગ્યા હતા ત્યારે તમે અઢળક પ્રેમ આપ્યો હતો. મેં કહ્યું કે તમારા પ્રેમને વ્યાજ સહિત પરત કરીશ અને જે કામ કર્યું છે તેનો હિસાબ આપીશ અને બીજાનો હિસાબ પણ માંગીશ. એક બાજુ દમદાર ચોકીદાર છે તો બીજી તરફ દાગદારોની ભરમાર છે. સર્જિકલ સ્ટ્રાઇકનું સાહસ પણ ચોકીદારની સરકારે જ કર્યું છે. વન રેંક વન પેન્શનનો વાયદો પણ અમારી સરકારે પૂરો કર્યો.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો 70 વર્ષ સુધી દેશના ગરીબોનું બેંકમાં ખાતું ખોલાવી શક્યા નહોતા તે લોકો આજે કહે છે કે અમે તમારા ખાતામાં રૂપિયા નાંખીશું. આજે એક તરફ નવા ભારતના સંસ્કાર છે તો બીજી તરફ વંશવાદ અને ભ્રષ્ટાચારનો વિસ્તાર છે. જ્યારે હું 8-10 વર્ષનો હતો ત્યારે સાંભળતો કે સરકાર ગરીબી હટાવવાની વાત કરી રહી છે. જ્યારે 20-22 વર્ષનો થયો ત્યારે ઇંદિરા ગાંધી પણ કહેતા હતા કે ગરીબી હટાવીશું. તે પછી ચાર-ચાર પેઢીઓ પણ આ વાત કરતી રહી. તેઓ તો આગળ વધતા રહ્યા પરંતુ ગરીબ, ગરીબ જ રહ્યો. કેટલાક બુદ્ધિમાન લોકો એવા છે જ્યારે હું ગઈકાલે A-SATની વાત કરતો હતો ત્યારે તેઓ મૂંઝાઈ ગયા. સમજ્યા કે હું થિયેટરના સેટની વાત કરી રહ્યો છું. હવે આવા બુદ્ધિમાન લોકો પર હસવું કે રડવું, જેમને થિયેટરના સેટ અને અંતરિક્ષમાં એન્ટી સેટેલાઇટ મિશન A-SATની સમજ નથી. જમીન હોય કે આકાશ કે પછી સર્જિકલ સ્ટ્રાઇકનું સાહસ, તમારા આ ચોકીદારની સરકારે કર્યું છે. જે લોકો પહેલા ચોકીદારને પડકારતા હતા તે લોકો આજકાલ રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે મોદીએ આ શું કર્યું ? દિલ્હીમાં જ્યારે મહામિલાવટી લોકોની સરકાર હતી ત્યારે દેશના વિવિધ ખૂણામાં બોંબ ધડાકા થતા હતા. તેઓ આંતકીઓની જાતી જોતા હતા અને તેના આધારે બચાવવો કે સજા કરવી તે નક્કી કરતા હતા. 26 ફેબ્રુઆરીએ જ્યારે આપણી સેનાએ એરસ્ટ્રાઇક કરી તેમાં જો કોઈ ચૂક થઈ હોત તો આ લોકો મારું રાજીનામું માંગી લેત, પૂતળા બાળત. હું 130 કરોડ દેશવાસીઓને પૂછવા માંગુ છું કે આપણે સબૂત જોઈએ કે સપૂત. જે લોકો સબૂત માંગે છે તેઓ સપૂતને લલકારે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે પાર્ટીના નેતાઓને જેલ મોકલવા માટે બહેનજીને જીવનના બે દાયકા લાગી ગયા તેની સાથે જ તેમણે હાથ મેળવી લીધા. જે પક્ષના નેતાને ગેસ્ટ હાઉસમાં ખતમ કરી દેવા ઇચ્છતા હતા હવે તેઓ સાથી થઈ ગયા. યુપીમાં બધું ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. ગત ચૂંટણીમાં બે છોકરાઓની રમત જોઈ અને હવે બુઆ-બબુઆની રમત થઈ. આ પણ મોટું આશ્ચર્ય છે. આ લોકો હંમેશા ભારતને નબળું બનાવીને રાખવા ઇચ્છે છે. કોના ઈશારે કોને ફાયદો પહોંચાડવા તમે આમ કરી રહ્યા છો તે હું જાણવા ઈચ્છુ છું. સપાનો ‘સ’, આરએલડીનો ‘ર’ અને બસપાનો ‘બ’શબ્દોને ભેગા કરીને આ ત્રણેય પક્ષોની તુલના શરાબ સાથે કરી પીએમ મોદીએ કહ્યું કે, આ શરાબ યુપીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સારા સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠ ભારત માટે શરાબથી બચવું જોઈએ. લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ 1 એપ્રિલથી શેરબજારમાં થશે મોટો ફેરફાર, હવે આ રીતે જ થશે ટ્રાન્ઝેક્શન, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget