શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ આપ્યો નવો નારો- કુછ નહી સબ જૂઠા હૈ, નરેંદ્ર મોદીને લૂંટા હૈ
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યાય યોજનાને ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઈક ગણાવતા કહ્યું મધ્યમ વર્ગના પગાર મેળવતા લોકોને ડરવાની જરૂર નથી કારણ કે આની ચૂકવણી એ રકમમાંથી કરવામાં આવશે જે નરેંદ્ર મોદીની મદદથી અનિલ અંબાણી જેવા ચોરોએ લૂટી છે. કેંદ્રની એનડિએ સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ એક નવો નારો આપ્યો છે, 'કુછ નહી સબ જૂઠા હૈ, નરેંદ્ર મોદીને લૂંટા હૈ.'
પટના: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યાય યોજનાને ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઈક ગણાવતા કહ્યું મધ્યમ વર્ગના પગાર મેળવતા લોકોને ડરવાની જરૂર નથી કારણ કે આની ચૂકવણી એ રકમમાંથી કરવામાં આવશે જે નરેંદ્ર મોદીની મદદથી અનિલ અંબાણી જેવા ચોરોએ લૂટી છે. કેંદ્રની એનડિએ સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ એક નવો નારો આપ્યો છે, 'કુછ નહી સબ જૂઠા હૈ, નરેંદ્ર મોદીને લૂંટા હૈ.'
રાહુલ ગાંધી બિહારમાં એક રેલીને સંબોધન કરતા લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વખત ગઠબંધન સહયોગી આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ જેલમાં બંધ આરજેડી સુપ્રીમો લાલૂ યાદવ સાથે કરવામાં આવી રહેલા વ્યવ્હારની પણ નિંદા કરી હતી અને ચેતવણી આપી કે ભાજપના નેતૃત્વ વાળા ગઠબંધને ચૂંટણીમાં તેનું નુકશાન ઉઠાવવું પડશે.
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામા અને ઉરી બાદ તેને ચૂંટણી મુદ્દો બનાવવામાં આવતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, કૉંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોને દેણુ ન ચૂકવવા પર જેલમાં નહી જવું પડે.
AAPએ ગંભીર વિરુદ્ધ નોંધાવ્યો ક્રિમિનલ કેસ, બે વોટર આઇડી રાખવાનો લગાવ્યો આરોપ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion