શોધખોળ કરો
ટીવી અને બોલિવૂડ એક્ટર આશીષ રોયનું લાંબી બીમારી બાદ નિધન, ઘણાં વર્ષોથી ડાયાલિસિસ પર હતા
તેઓ કેટલાક સપ્તાહથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી હતા.

મુંબઈઃ ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની એક્ટિંગથી લોકોના દીલ જીતનાર એક્ટર આશીષ રોયનું લાંબી બીમારીને કારણે આજે નિધન થયું છે. બન્ને કિડની ખાબ હતી. છેલ્લા ઘણાં વર્ષોથી ડાયાલિસિસ પણ ચાલી રહ્યું હતું. રાત્રે અંદાજે 3-45 કલાકે તેમનું નિધન થયું છે. બીમારીને કારણે તેઓ ઘણાં લાંબા સમયથી કામ કરી રહ્યા ન હતા. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ઠીક ન હતી. તેઓ કેટલાક સપ્તાહથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી હતા. લોકડાઉન દરમિયાન તેમની શારીરિક અને આર્થિક સ્થિતિ વધારે બગડી ગઈ હતી. ઇન્ડસ્ટ્રીઝના લોકો પાસે આશીષે મદદની માગ કરી હતી. ઉદ્યોગના લોકો તરફથી આર્થિક મદદ મળ્યા બાદ આશીળ રોયે સારવાર કરાવીને પોતાને ઘરે 22 નવેમ્બરે પરત ફર્યા હતા. મળતી માહિતી મુજબ તેઓ સપ્તાહમાં ત્રમ દિવસ ડાયાલિસિસ માટે હોસ્પિટલ જતા હતા.
વધુ વાંચો





















