શોધખોળ કરો

શું ખરેખર Imran Khan અને Avantika Malikના થઈ ગયા છે છૂટાછેડા? Instagram પોસ્ટને લગાવી મહોર

Imran Khan Avantika Malik: ઈમરાન ખાન અને અવંતિકા મલિકના છૂટાછેડાની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. અવંતિકાની પોસ્ટ પરથી એવું લાગે છે કે આ કપલના છૂટાછેડા થઈ ગયા છે.

Imran Khan Avantika Malik Divorce: 'જાને તુ યા જાને નાએક્ટર અને આમિર ખાનનો ભત્રીજો ઈમરાન ખાન લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. જો કે તે પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. ઈમરાને અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા પરંતુ અહેવાલ મુજબ સ્ટાર્સ 2019થી અલગ રહે છે. બંનેએ છૂટાછેડાની અફવાઓ પર પણ મૌન સેવી લીધું છે. જોકે અવંતિકા મલિકની ક્રિપ્ટિક સોશિયલ મીડિયા પોસ્ટ્સ વારંવાર સૌકોઈનું ધ્યાન આકર્ષિત કરે છે. ફરી એકવાર આ કપલ એક ક્રિપ્ટિક પોસ્ટને કારણે ચર્ચામાં છે. અવંતિકા મલિકની નવીનતમ રહસ્યમય પોસ્ટ પછી ચાહકો ફરી એકવાર જાણવા માટે ઉત્સુક છે કે શું કપલના છૂટાછેડા નક્કી થઈ ગયા છે?

અવંતિકાએ છૂટાછેડાને લઈને એક રહસ્યમય પોસ્ટ કરી હતી

અવંતિકા મલિકે તેની ઇન્સ્ટા સ્ટોરીઝ પર માઇલી સાયરસના ગીતની એક તસવીર શેર કરી છે જેમાં છૂટાછેડાના ગીતો હતા. પોસ્ટમાં લખ્યું હતું કે, "છૂટાછેડા એ તેની સાથે અત્યાર સુધીની સૌથી સારી બાબત હતી." આ શેર કરતાં અવંતિકાએ કેપ્શનમાં લખ્યું, "માત્ર એટલું જ નહીં... #JustSaying." અવંતિકા મલિકની આ પોસ્ટ Reddit.com પર પોતાની જગ્યા બનાવી છે. ઘણા લોકો ટીપ્પણી કરી રહ્યા છે અને કહે છે કે 'મુશ્કેલ જીવન જીવવા કરતાં અલગ થવું સારું છે.'

ઈમરાન અને અવંતિકાના અલગ થવાનું કારણ શું હતું?

ઈમરાન ખાન અને અવંતિકા મલિકે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. દંપતીને એક પુત્રી પણ છે. વર્ષ 2019માં ઇન્ટરનેટ પર તેમના અલગ થવાની અફવાઓ ફેલાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ અલગ રહે છે. એક અહેવાલ મુજબ સ્ત્રોતે દાવો કર્યો હતો કે દંપતીના અલગ થવા પાછળનું કારણ ઈમરાન ખાનની અભિનેતા તરીકેની અસફળ કારકિર્દી હતી. સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "એક્ટર તરીકે ઈમરાનનું નસીબ ચમક્યું ન હતું. 'કટ્ટી બટ્ટીફ્લોપ થયા પછી ઑફર્સ ઘટવા લાગી અને ટૂંક સમયમાં તેની પાસે કોઈ કામ નહોતું."

આ પણ વાંચો: Bollywood : બચ્ચન પરિવારની પુત્રવધુ બનતા બનતા રહી ગયેલી રાની, કારણ હતું એક Kiss

Rani Mukerji Birthday: બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જી અને અભિષેક બચ્ચન એક સમયે એકબીજાની ખૂબ નજીક હતા. રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની કેટલીક ફિલ્મો પણ સાથે રિલીઝ થઈ હતી, જેમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. એક સમયે બંનેના પ્રેમની ચર્ચાઓ પણ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બની હતી. કરિશ્મા કપૂર સાથેની સગાઈ તોડ્યા બાદ લગભગ નક્કી થઈ ગયું હતું કે, રાની મુખર્જી જ બચ્ચન પરિવારની વહુ બનશે. પરંતુ અચાનક આ વાત પર બ્રેક લાગી ગઈ અને રાની મુખર્જીના બદલે ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.

અભિષેક અને રાની મુખર્જીના લગ્ન ના થવા પાછળ હતો અભિનેત્રીનો એક કિસિંગ સીન. રાની મુખર્જી સાથે અભિષેક બચ્ચનના સંબંધો તૂટવાનું કારણ અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચન હોવાનું માનવામાં આવે છે કે જે અભિનેત્રીના કિસિંગ સીનથી ભારે રોષે ભરાયા હતાં.

અમિતાભને કરી હતી કિસ

રાની મુખર્જી અને અમિતાભ બચ્ચને ફિલ્મ 'બ્લેક'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં રાની મુખર્જીએ અંતે અમિતાભ બચ્ચનને લિપ કિસ કરવાની હતી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ લાગણીઓથી ભરેલી એક ઈંટેંસ ફિલ્મ હતી. જેમાં બંને સ્ટાર્સે આકરી મહેનત કરી પોતાની ભૂમિકા ભજવી હતી. તેમના અભિનય અને ફિલ્મની શાનદાર વાર્તા અને દિગ્દર્શનને કારણે ફિલ્મ અદ્ભુત બની હતી. આખી ફિલ્મમાં બધું બરાબર હતું, પરંતુ જયા બચ્ચનને લિપ કિસિંગ સીન સામે વાંધો હતો. તેઓ નહોતા ઇચ્છતા કે તેની ભાવિ પુત્રવધૂ તેના સસરાને ચુંબન કરે. પરંતુ રાની મુખર્જી આ સીન માટે તૈયાર હતી. અભિષેક બચ્ચન સાથેના બ્રેકઅપના રૂપમાં તેને આનો માર સહન કરવો પડ્યો હતો.

રાણીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી

આ એક સીનને કારણે જયા બચ્ચનની નારાજગી એટલી વધી ગઈ હતી કે, રાની મુખર્જીને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. એવું કહેવાય છે કે, ત્યાર બાદ રાની મુખર્જીએ નારાજગી વ્યક્ત કરી અને એમ પણ કહ્યું હતું કે, તે અભિષેક બચ્ચનને સારો મિત્ર માને છે પરંતુ તે માત્ર કોસ્ટાર જ નીકળ્યો. રાની મુખર્જીએ અભિષેક બચ્ચન સાથેના બ્રેકઅપ બાદ યશ રાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લઈને ઠરી ઠામ થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Embed widget