શોધખોળ કરો

Kangana Ranaut: શું ભવિષ્યમાં રાજનીતિમાં આવશે? સવાલનો કંગના રનૌતે આપ્યો ચોંકાવનારો જવાબ

Kangana Ranaut On Join Politics: હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કંગના રનૌતને કોઈ અલગ ઓળખની જરૂર નથી. બોલિવૂડની પંગા ગર્લથી ફેમસ કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે જાણીતી છે.

Kangana Ranaut On Join Politics: હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કંગના રનૌતને કોઈ અલગ ઓળખની જરૂર નથી. બોલિવૂડની પંગા ગર્લથી ફેમસ કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. આ દરમિયાન, તાજેતરમાં કંગના રનૌતને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તે ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશ કરશે. આ સવાલનો જવાબ કંગનાએ ખૂબ જ નિખાલસ રીતે આપ્યો છે.

કંગના રનૌતે રાજકારણમાં આવવા અંગે નિવેદન આપ્યું

હાલમાં જ કંગના રનૌતે એબીપી ન્યૂઝને એક ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન કંગના રનૌતને સવાલ પૂછવામાં આવ્યો કે શું તે ભવિષ્યમાં રાજકારણમાં જોડાશે. આ સવાલનો જવાબ કંગના રનૌતે આપ્યો છે. કંગનાના કહેવા પ્રમાણે- 'મારી પાસે આટલું સારું કામ છે, હું આટલી સરસ જગ્યાઓ પર જાઉં છું અને હું હંમેશા આ સુંદરતામાં ખોવાયેલી રહું છું. રાજકારણ એ અઘરું કામ છે. કલાનું કાર્ય એ ખૂબ જ પવિત્ર કાર્ય છે. જેઓ કલાકાર બને છે તેમને સરસ્વતીજીના આશીર્વાદ મળે છે. રાજનીતિ એ એક કુઠીલ અને કુટનીતિનું કામ છે, જે રાજાઓના સમયથી ચાલતું આવ્યું છે.

હું દિલથી નરમ કલાકાર છું, તેથી મારી અંગત ઈચ્છા આવી નથી. પરંતુ જો મને આવી જવાબદારીઓ આપવામાં આવી અને તે મારા માટે જરૂરી બની ગયું. જો દેશને મારી જરૂર પડશે તો હું મારી અંગત ઈચ્છાઓથી આગળ વધીને દેશ માટે કંઈક કરવા આગળ આવીશ. આ રીતે કંગનાએ ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાના સવાલ પર પોતાનો જવાબ આપ્યો છે.

કંગનાની આ ફિલ્મોની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે

કંગના રનૌતના વર્કફ્રન્ટની વાત કરીએ તો આવનારા સમયમાં કંગના ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના રનૌત દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે કંગનાએ ફિલ્મ 'ઇમરજન્સી'ના નિર્દેશનની જવાબદારી પણ સંભાળી છે. આ પછી કંગના રનૌત ફિલ્મ 'ચંદ્રમુખી 2'માં પણ જોવા મળશે.

આલીશાન ઘર તૂટયું તેમ છતાં Kangana Ranautએ કેમ ના માંગ્યું વળતર? 

બી-ટાઉનની સુપરસ્ટાર કંગના રનૌતને કોઈ અલગ ઓળખની જરૂર નથી. એક યા બીજા કારણોસર કંગના રનૌતનું નામ ચર્ચાનો વિષય બની રહે છે. પરંતુ હાલમાં કંગનાનું નામ 3 વર્ષ પહેલા BMC દ્વારા મુંબઈમાં તેના આલીશાન ઘરને તોડી પાડવાને કારણે ચર્ચામાં છે. કંગનાએ કહ્યું છે કે તેણે પોતાના ઘર માટે કોઈ વળતર માંગ્યું નથી.

કંગનાએ તૂટેલા ઘર માટે વળતર માંગ્યું ન હતું

હાલમાં જ કંગના રનૌતે ABV ન્યૂઝને એક ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન કંગનાને મુંબઈમાં BMC દ્વારા તોડી પાડવામાં આવેલા તેના આલીશાન ઘરના એક ભાગના વળતર વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલનો જવાબ કંગના રનૌતે ખૂબ જ સ્પષ્ટપણે આપ્યો છે. કંગનાએ કહ્યું છે કે- મને અત્યાર સુધી આ મામલે કોઈ વળતર મળ્યું નથી. તેણે વળતર મૂલ્યાંકનકર્તાઓને મોકલવાનું હતું.

અભિનેત્રીએ કહ્યું, "હું આ બાબતે શિંદે જી (હાલના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે)ને મળી હતી અને કહ્યું હતું કે, તમે મને અમુક મૂલ્યાંકન મોકલો. મને કઈ જોતું નથી.  હું નથી ઈચ્છતી કે જેણે કરદાતાઓના પૈસાનો દુરુપયોગ કર્યો હોય. મને વળતર નથી જોતું. આ જ ઠીક છે. પોતાની વાતને આગળ વધારતા કંગનાએ કહ્યું છે કે- કોર્ટે કહ્યું છે કે તેઓએ મને વળતર આપવું જોઈએ, પરંતુ જેમ મેં કહ્યું તેમ, તેઓએ ક્યારેય મૂલ્યાંકનકર્તાઓને મોકલ્યા નથી કે મેં તેની માંગ કરી નથી."

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Embed widget